SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રા .ક ગણ ૨૪૩ બરાબર તપાસતાં એના પર પડેલ અશ્રુબિંદુના ડાઘ જોઈ તેઓ રહસ્યને સમજી ગયા, ને પોતાના કોઈ અજ્ઞાત સ્વધર્મી ભાઈની વિપત્તિને અનુભવ કરી પિતાના ઘર ખાતામાં ખર્ચ લખાવી હુંડી સ્વીકારી લીધી, કેટલાંક દિવસો પછી એ અજ્ઞાત સ્વધર્મીભાઈ ત્યાં , આવ્યા અને આગ્રહપૂર્વક હુંડીને રૂપિયા જમા કરવાની પ્રાર્થના : કરી. પરંતુ સમજીએ તો “તમારા નામે અમારું એક પૈસાનુંય લેણું નથી” એમ કહી પણ સ્વીકારવાની શેખી ના પાડી દીધી. છેવટે સંઘની સંમતિથી શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયનિર્માણમાં તે સમસ્ત રૂપિયા ખર્ચી નાંખ્યા આ વૃત્તાન્તથી સમજીનું ઉદાર હૃદય, અને અભૂતપૂર્વ આદર્શ સ્વમીં– વાત્સલ્ય જાણવા મળે છે. આવા નરરત્નનાં જેટલાં ગુણગાન થાય એટલાં ઓછાં છે. સૂરિજીના ઉપદેશથી એમણે ઘણું નવા ગ્રંથ લખાવી, - જ્ઞાનભકિતને બહુ મોટો લાભ લીઘો હતો. એ ગ્રંથમાંના એકને ઉંલ્લેખ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં આ પ્રમાણે છે –“સં. ૧૬૫ર માં ખ૨ જિનચન્દ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સમજીએ જ્ઞાનભંડાર માટે કર હુંડી સ્વીકારવાનું વિસ્તૃત વર્ણન “સવાસોમા” નામક રેટમાં છે, જેના લેખક છે, શ્રીમાન ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા (તંત્રી, શારદા એમણે આ ટ્રેકટમાં સોમા પર હુંડી કરવાવાળી વ્યક્તિ “સવાને (વામનસ્થલી નિવાસી શેઠ લખેલું છે, અને શિવા–સોમાજીની ટૂંક પણ બને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના નામથી પ્રસિદ્ધ થયાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એમાં એમણે ગંભીર ભૂલ કરી છે. શિલાલેખથી એ હકીકત પણ થાય છે કે શિવ-સોમજી બન્ને સગા ભાઈઓ હતા, અને એ જ બને ભાઈઓએ આ કૃત્ય કરેલ છે. ; , , ,
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy