________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૭ સાધ્વી વિદ્યાસિધ્ધિકૃત “ગુરુ–ગીત પરથી જાણવા મળે છે કે એની ગુણીને “પહાણી” (પ્રવત્તિની)પદ એમણેજ આપ્યું હતું. * * એમની સ્તવન, સજઝઈ આદિ કેટલીક નાની કૃતિઓ પણ મળી છે.
બીકાનેરના શ્રીરેલ દાદાજીમાં એમની પાદુકાઓ એક તૂપમાં પ્રતિષ્ઠિત છે. જેને લેખ આ પ્રમાણે છે – ___ "सं. १६७६ वर्षे जेष्ठवदि ११ दिने युग-प्रधान श्रीजिन सिंहसूरि सूरीश्वराणां पादुके कारिते प्रतिष्ठिने च ॥शुभं भवतु।"
બીકાનેરમાં નાહટાઓની ગુવાડના શ્રીષભદેવજી મંદિરમાં પણ એમની પાદુકાઓ છે, તેનો લેખ આ પ્રમાણે છેઃ___“सं..१६८६ वर्षे. चैत्र वदि ४ दिने युगप्रधान श्रीजिनसिंह सूरीणांः पादुके कारिते जयमाश्राविकया, (प्र.) भट्टारक युगप्रधान श्रीजिनराजसूरिराजैः” ।
એમના શિષ્ય ઘણું સારા સારા વિદ્વાન હતા, જેમાંના કેટલાકના નામે તો અમને મળેલ છે. એ બધાને મોટી દીક્ષા યુગપ્રધાન શ્રીજિચન્દ્રસૂરિજીએ આપી હતી, એથી એમનાં નામ પણ ન%િ અનુક્રમ પ્રમાણે લખીએ છીએ.
(૧) હેમન્દિર –તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. બીકાનેર જ્ઞાનભંડારમાં જુદા જુદા શ્રાવકશ્રાવિકાઓએ એમને વરાવેલ ગ્રંથની કેટલીક પ્રતિઓ વિદ્યમાન છે. એમની કૃતિ એક શ્રીજિનકુશલસૂરિ સ્થાન સ્તવન ગાથા ૯ નું ઉપલબ્ધ છે.
(૨) હીરાનંદન–આ પણ એમના શિષ્ય હતા, એમના + શિષ્ય ભુવનરાજે સ. ૧૬૮૭ કુ. સુદ ૫ બીકાનેરમાં લખેલ એક અજ્ઞાત નામ. પ્રતિનો અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.