________________
૧૫૮.
યુગપ્રધાન જનચદ્રસૂરિ ઉપદેશ આપી ચતુર્વિધ સંઘ સાથે ખમત–ખામણા કર્યા અન્ય દેશ-દેશાંતરના સઘને પણ પત્ર મારફતે ધર્મલાભ સાથે ખમત–ખામણા લખાવ્યા. ત્યાર પછી ચોરાસી લાખ છવાયેનિને શુધ્ધ મનથી ખમાવી, પાપસ્થાનકને નિરોધી, સમાધિપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ચાર પ્રહરનું અનશન પાળી ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનમાં લીન બન્યા, અને પિતાના પૌગલિક દેહને વિસર્જનકરી આસ (. ભાદરવા) વદી ૨ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
આમ જગતની આ અનુપમ જ્યોતિ સદાને માટે વિલીન થઈ ગઈ દુર્દેવ કરાલ કાળે આવા મહાપુરુષોને પણ નથી છોડ્યું. પુદ્ગલની નિઃસારતાને આજે જગતની જનતાને, ને ખાસ કરીને તત્વજ્ઞ જૈન સમાજને પૂરેપૂરો પરિચય મળી ચૂકે. દેશભરમાં તે સર્વતઃ સુંદર અને વિશ્વપૂજ્ય દેહે સદાને માટે રૂક્ષતાભર્યો ઉત્તર આપી દીધો, તત્કાલીન તે તે સાધનો દ્વારા એ શેક સમાચાર છેડાજ સમયે દેશ દેશમાં પ્રસરી ગયા એટલે ભારે વિષાદ અને હાહાકાર મચી ગયો. ધોળે દિવસેય સર્વત્ર અંધકારજ અનુભવાતો હતો. કારણ? એ જ્ઞાનાત્મક તેજોમયી પ્રભા સદાને માટે અદશ્ય થઈ ગઈ. એ દેદિપ્યમાન જ્ઞાનદીવડે કાળવાયુના ઝંઝાવાતથી અંધકારની ભિતરમાં ચાલ્યા ગયે. ગુરવિરહાશિની દારુણ જવાળાઓ લોકોના હૃદયમાં પ્રજqલી ઉઠી. એ વાળાઓ નેત્રોમાંથી આંસુરૂપે આવિર્ભાવ પામીને મેઘઝડીની માફક વહેવા લાગી ગઈ. તે સમયનું દ્રશ્ય જે ન જાય એવો હૃદયદ્રાવક શોકમય થઈ જવા છતાં ભાવભીના દર્શે જ્યાં ત્યાં જોવા મળતા. જાણે કે વિષાદના પ્રલયપૂરમાં સારાય સંસાર ડૂબી ગયા હતા.
સુજીની અત્યેષ્ટિ ક્રિયા કરવા બિલાડાના સ્થાનીય સંઘ