SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગગમન ૧૪૯ બિલાડા પધાર્યા એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લોલ +, વા. પૂણ્યપ્રધાન, પં. મુનિવલભ, પં. અમીપાલ આદિ અનેક સાધુઓ હતા. સં. ૧૯૭૦ નો ચાતુર્માસ ત્યાં કર્યો. સૂરિમહારાજના બિરાજવાથી ધર્મધ્યાન ખૂબ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, દયાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયો. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિકમણ, શાસ્ત્રશ્રવણ અને દ્રવ્યનો સદુપયોગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસની તે વાતજ શું? ધર્મભાવનાનો પ્રવાહ ચારે તરફ એતો વહેવા લાગ્યું કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે. પર્યુષણ પર્વ આનંદ પૂર્વક આરાધ્યા બાદ સૂરિજીએ જ્ઞાને પગથી પિતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવર્ગને મહત્વની ભલામણ દેવા લાગ્યા :–“તમે લોકો જેનશાસનની ઉન્નતિ કરવાની સાથેસાથે આત્મોન્નતિ કરવામાંય હરહંમેશ કિટિબધ્ધ રહેજે. ગચ્છનો ભાર આચાર્ય “જિનસિંહસૂરિધારશે, તમે તત્પરતાપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરો” ઈત્યાદિ. સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના યોગ્ય + એમણે સં. ૧૭૦૫ માં કવિવર સમયસુંદરજીના વિદ્વાન શિષ્ય વિાદી હર્ષનંદનની જોડે રહીને પરમ સુવિહિત ખરતરગચ્છ વિભૂષણ નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત ઠેણંગવૃત્તિગત ગાથાઓની વૃત્તિ રચી છે જેની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે. જૈસલમેરથી વા. વિમલતિલક આદિએ ચૈત્ર સુદિ ૧૦ ને રેજ સૂરિજીને એક પત્ર પાઠવ્યું જેમાં આ નામ લખેલ છે. એ સંસ્કૃત પત્ર આ પુસ્તકના પરિશિષ્ટ(ઘ)માં આપેલ છે. એમાં જિનસિંહસૂરિજીનું નામ નથી એથી જણાય છે કે એ વખતે તેઓ સૂરિજીની સાથે નહીં હોય, ને પાછળથી ચાતુર્માસ સમયે ગુરૂ મહારાજ પાસે બિલાડા આવી પહોંચ્યા હશે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy