SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ પર સૂરિજીનો કેટલે ઉંડે અને જબરદસ્ત પ્રભાવ હતે, એ આ ઘટનાથી બરાબર સમજાય એમ છે. આ અત્યુત્તમ કાર્યથી જેનશાસનની અતિ મહાન પ્રભાવના કરવાના કારણે સૂરિજી “સવાઈ યુગપ્રધાન”ના નામથી પ્રસિદ્ધ થયા.૪ કહેવાય છે કે જ્યારે સૂરિજી આગરા પધાર્યા અને જ્યારે સમ્રાટને સમાચાર મળ્યા કે “બડે ગુરુ” યુગપ્રધાનજી પધાર્યા છે, ત્યારે તેમણે પિતાની આજ્ઞાનો ભંગ ન થાય એટલા માટે સૂરિજીને રાજમાર્ગથી ન પધારતાં લોકોત્તર માર્ગે આવવાનું કહેવડાવ્યું. આથી શાસનની પ્રભાવનાને નિમિત્તે સૂરિજી કબળને યમુના નદીમાં બિછાવી મંત્રશકિત દ્વારા એની ઉપર બેસી, પેલી પાર જઈ સમ્રાટને મળ્યા. સમ્રાટ આ અદ્ભુત શકિત જોઈ દિમૂઢ બની ગએલા. એક દિવસ કઈ વિદ્વાન ભટ્ટ કે જેણે કાશીના + પંડિતને જીતી લીધા હતા, એ જહાંગીરના દરબારમાં આવે અને ગર્વ પૂર્વક શાસ્ત્રાર્થ કે વાદ કરવાની ઘોષણા કરવા લાગ્યા. આથી સમ્રાટે ગુરુ શ્રીજિનચન્દ્રસૂરિને એની સાથે વાદ કરવા સર્વથા સમર્થ સમજી તેમને વિનમ્ર ભાવે નિવેદન કર્યું. સુરિજીએ પોતાની અસાધારણ વિદ્વત્તાથી એને પરાસ્ત કરી પ્રસિદ્ધિ મેળવી શાસ્ત્રાર્થમાં ભટ્ટને હરાવવાથી “યુગપ્રધાન ભટ્ટારક” પદની પ્રાપ્તિ કરી. આ બાબતમાં એક પ્રાચીન પ્રસિદ્ધ કવિત અત્રે રજૂ કરીએ છીએ – ४" श्रीसाहिसलेमराज्ये (ताद्य)कृतजिनशासनमालिन्यतः श्रीसाधुविहारो निपिद्धः साहिना, तत्रावसरे श्रीउग्रसेनपुरे गत्वा साहिं प्रतियोध्य च साधूनां विहारः स्थिरीकृतः, तदा लब्धः 'सवाई युगप्रधान बडा गुरु' रिति विरुदो येन गुरुणा।" (તત્કાલીન પઢાવલી) +" जितकाशी जय पामियउ, करि गौतम ज्यु सिधि वाधी रे ॥ ११॥ (યુગપ્રધાન નિર્વાણ રાસ).
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy