________________
પ્રકરણ ૧૧ મું
મહાન શાસન સેવા
Hea
s
.
»
છે મ્રાટ અકબર ન્યાયપરાયણતાએ રાજ્યશાસન
wા કરીને સં. ૧૬૬ર ના કાર્તિક સુદિ ૧૪ મંગલ વારની રાત્રે કાળધર્મ પામ્યા. સમ્રાટના સર્વ ધર્મો પર સમભાવ અને પ્રજાવાત્સલ્યના ગુણ પર પ્રજા ખૂબ ખૂબ પ્રસન્ન હતી. મુસલમાન શાસકેમાં એક આજ એવા સમ્રાટ થયા કે જેના રાજ્યકાળ દરમ્યાન હિંદુ મુસલમાન બંનેએ શાંતિપૂર્વક જીવનનિર્વાહ કર્યો. સમ્રાટના મૃત્યુથી હિંદુ તેમજ મુસલમાન બન્નેના હૃદય શેકાતુર બની ગયા, સર્વત્ર હાહાકાર મચી ગયો, એનું થોડુંક વર્ણન “બનારસી-વિલાસ”માં મળી આવે છે. સમ્રાટના દેહાવસાન પછી એમના પુત્ર શાહજાદા સલીમ “નરુદ્દીન જહાંગીર” નું બિરુદ ધારણ કરી આગરામાં સિંહાસનારૂઢ થયા, જ્યારથી લાહેરમાં (સૂરિજીની) પધરામણી થએલ ત્યારથી જ શાહજાદા એમને સન્માનની દૃષ્ટિથી જોતા, અને એમના ભકત બની ગયા હતા. . .