SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિબંધ ૭૯. મતલબ કે કેઈપણ જીવને દુઃખ પહોંચાડવામાં પાપજ છે. જે દેશ કે ગ્રામને શાસક પોતાની પ્રજાને સુખી નથી. રાખતે, એના પ્રત્યે પ્રેમ નથી રાખત, અને રાજ્યમાં અનેક પ્રકારના કર લગાવે છે, એ રાજ્યમાં શાંતિ અને સુખ–સામ્રા-- જ્યની આશા જ ન રાખી શકાય, એ દીવા જેવું સ્પષ્ટ છે. આથી પિતોના આધિપત્ય નીચેના પ્રાણીઓ જે રીતે. શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી શકે એ વાતનું નિરંતર ધ્યાન. રાખવું જોઈએ. જગત આખાનું કલ્યાણ હે, સૌ સુખી થાઓ, કઈ દુઃખી ન રહે, આ પ્રકારની હિતેચ્છુ વૃત્તિને અહિંસા કહેવાય છે. જ્યાં અહિંસા છે, અર્થાત્ કઈ પ્રાણીને દુઃખ ન. પહોંચાડવું એ જ્યાંનું પ્રધાન લક્ષ્ય છે, ત્યાં અન્ય કેટલાંય. ગુણો સ્વતઃ આવી નિવાસ કરે છે. દયાળુ આત્માની સમીપ, છળ, પ્રપંચ, ચિંતા આદિ વાસનાઓ અને અસત્ વ્યવહાર કદી ફરકી શકતો નથી. એ તે સારા સંસારને અપનાવી લે છે, એ. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અન્ય જીવોને અભયકારક બની પોતે દરેક પ્રાણીને પૂજ્ય રૂપે દેખાય છે. અહિંસા તવમાં રમણ કરવાવાળા ચેગિની પાસે સિંહ અને બકરી વૈર ભાવ ત્યજી દઈ એક સાથે બેસે છે. એવાઓના દર્શન માત્રથી પ્રાણીઓ પર અદ્દભુત પ્રભાવ પડે છે, ને નહીં કહેવા છતાંય હજારેનર નારીઓ એમની સેવામાં હાજર રહે છે. પિતાના હૃદયની પવિત્રતા અન્યના પાપ ભાવને ભૂલાવી હિત ચિંતન તરફ ઝુકાવે છે. જે બીજાઓને અભયકારક હોય છે, તે સ્વયં હંમેશને માટે અભય બની જાય છે. સંસારમાં જ્યાં જ્યાં બીજાએને કષ્ટ પહોંચાડવાની નીતિ છે, ત્યાં બધે અશાન્તિ અને hહ સદાને માટે નિવાસ કરે છે, એટલા માટે પ્રજા પર
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy