SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ 2થ-સવિવેચન. જોઈએ. રજોગુણ આહાર અને તમગુણ આહાર, રજોગુણ વિચાર અને તમોગુણી વિચાર રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મને નાશ થાય અને સાત્વિક વિચારે સાત્વિક આહાર તથા સાત્વિકપ્રવૃત્તિ વધે તે માટે સબોધ આપ જોઈએ, લોકેને તે માર્ગે દોરવા અન્ય ઉપાયે લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિની ઉન્નતિ માટે સમ્યગૂ વ્યવસ્થાપૂર્વક શિક્ષ દિક દેવું જોઈએ. ધર્મસેવક્સજજનેએ સ્વદેશમાં અને જ્ઞાતિસેવામાં યથાગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વજીને શાત્યર્થ ઔષધ અને વસ આદિ ચોગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠ અને વ્યાવહારિક વિદ્યાપીઠની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધમળે તરવજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી ધર્મવિદ્યાપીઠે સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સોધને ફેલાવે કર જોઈએ. રાગદ્વેષરૂપ કષાયત્યાગ વિના શ્વેતાંબરમાં, દિગંબરમાં, વૈદિકમાં, બૌદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કઈ ધર્મ–મતપંથમાં રહેવા માત્રથી મુક્તિમોક્ષ થતું નથી. જે જે અંશે રાગ દ્વેષને ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામા કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને-સર્વજીને રોગ્ય-સાપેક્ષધર્મને ઉપદેશ દઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપ કષાય ટળે છે તે તે અશે કેઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી લક્ષ્મીધારી વિદ્યાપારીઓને જરા પણ સત્ય શક્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હેય તે રાગદ્વેષને ક્ષય થાય એ ઉપદેશ આપવો જોઈએ-એમ વીતરાગવીરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજ્યથી વિશ્વજનેને સત્યશાતિ વગેરેને લાભ સમર્પી શકાતું નથી. વિશ્વવર્તિઓના દુખેનો નાશ કરવા માટે અનેક શુભપાવડે વિશ્વસેવા કરવી જોઈએ. વિશ્વોદ્ધારક સજ્જનેએ સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રેને અનુસરવા જોઈએ. સમસ્ત વિશ્વમા સર્વજીને એકસરખી રીતે શાન્તિસુખ મળે એવી રીતે વિશ્વોદ્ધારક સજ્જનોએ વિશ્વસેનાની એજનાઓને ઘડીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મચગીની દશા પ્રાપ્ત કર્યાથી દેશસેવા સંઘસેવા, સામાજિકસેવા, રાજ્યસેવા અને છેવટે વિશ્વસેવા કરવાની ચેગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મયેગી સજજનેએ વિશ્વજનની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલો વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનેપકારી, સર્વોપરી વિશાલવ્યાપક દષ્ટિ થયાવિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની-પ્રભેદની માન્યતાઓને વિલય થાય છે. તેવી રીતે વિશ્વહિતકારક કામગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિત ક્ષુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy