SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ - - - IE જ્ઞાની સર્વ ક્રિયામાં નિલેપ રહી શકે. (૫૫) ચોગ્ય દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરંતુ તુરત જ્ઞાનવૈરાગ્ય બળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિ સ્થિર થયા અને આત્માના શુદ્ધોપગે શુકલધ્યાન ધ્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજર્ષિએ સાતમી નરકાગ્ય બધેલ કર્મલિકે અને અન્ય સર્વ ઘનઘાતી કર્મલિકને આત્માના પ્રદેશથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્મોબાંધ્યાં અને પશ્ચાત જ્ઞાનવૈરાગ્યબળે કમેને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મબંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબલની મુખ્યતા છે. આત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યબલ સમાઈ જાય છે. જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતા મન વચન અને કાયાના ચાગની ચંચલતાને ધારણ કરે છે, પરંતુ આત્મપયોગવડે કષાય ભાવને હટાવી દે છે તેઓ અલ્પ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્ય કેઈપણ કાર્ય ક્યાં વિના બેસી રહે છે, પરન્તુ આપાગી નથી તેમજ જેઓ કષાય ભાવને ધારણ કરે છે તેઓ ચીકણું કર્મને બાધે છે. કષાય ભાવ વિના આત્મપગથી કાર્ય પ્રવૃત્તિ સેવતા કર્મ રસથી લેપાવાનું થતું નથી એમ જૈનકર્મ દષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરને ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તોલાય છે. આત્મપ્રભુના પગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી અથત રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાદિકને કરતા યૌગિક બન્ધ વિના અન્ય રસાદિ બન્ધ થતું નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાદિ ગૃહસ્થને અને ત્યાગીઓને કર્તવ્ય કાર્યો કરતાં છતાં જે આપગ વર્તે છે તો તેઓને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતું નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયે હોય છે તે પણ તે જ્ઞાનવૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કર્મ ભેગવાય છે તે પણ અલ્પકાળમા તેથી છૂટી જવાય છે. આત્માગી રસાદિયુક્ત કર્મબંધને કાર્યપ્રવૃત્તિ કરતે છતે બાધી શકતો નથી. ઈત્યાદિ સર્વત્ર નિર્લેપાધિકારે આ આશય પ્રમાણે અવધવું એમ અમ્મદીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જેના શાસ્ત્રોથી ઉપર્યુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આમેપગથી કપાયને અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે કમભાવત્વ અવધવું. પ્રસન્નચન્દ્રરાજર્ષિએ મનથી કર્મ બાહ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેને ક્ષય કર્યો હતો તતત્ જ્ઞાન વૈરાગ્યમય આભે પગથી કર્તવ્ય કાર્ય કરતે છતે જ્ઞાની સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે રાગદ્વેષને અભાવ થયે એટલે સર્વ કર્મને અભાવ થયો એમ અવધવુ, આત્મોપગથી જ્ઞાની પ્રારબ્ધકર્મ દે છે અને સચિત કર્મને ક્ષય કરે છે અને પ્રિયમાણ કોને આવશ્યકાદિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્માનિત કરવામાં ભણે છે અગ્રગામી બને છે. આત્માપયેગી પ્રારબ્ધ કર્મ વેદતે છતે બાહ્યત ગમે તેવી સ્થિતિમાં હોય છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy