SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ' (૪૭ર ) શ્રી ર્માગ સંઘ-સવિવેચન. g અને તેથી મનુષ્ય ન્નતિનાં અવસ્થાભેદે કાર્યો બદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાદિ ગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે--જો તે અશ્વ બને છે તે તેના અધિકાર પ્રમાણે અશ્વગ્ય ક્રિયાઓને સેવે છે અને જે તે સિંહ બને છે તે સિંહગ્ય પ્રવૃત્તિને આચરે છે. જે તે સતી બને છે તે સતીના સ્વાધિકાર ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાશી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામી અવસ્થા, સેવક અવસ્થા, લેગીઅવસ્થા, ત્યાગીઅવસ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થામાં ભિન્ન ભિન્ન આવશ્યક કર્તવ્ય કર્મોની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાનો અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવૃત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે જે ક્રિયા કરવાનો પિતાને અધિકાર ન. સમજાતો હોય અને તેમાં પિતાની યેગ્યતા ન હોય તે કિયાને ન કરવી જોઈએ. જે બાલક પરણવાને હેતુ શો છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઈએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, ચોગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર બની પ્રવર્તવાથી દેશ સમાજ અને સંઘની પરતંત્રતા કરવામાં નિમિત્તભૂત થવાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશને એક મનુષ્ય અને સમાજને એક મનુષ્ય જે દેશ કાલ દ્રવ્ય ભાવથી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તે તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અતએવા મનુષ્યોએ સ્વાધિકાર એગ્ય પ્રત્યેક મનુષ્યકર્તવ્ય કાર્યની Wિાને કરે એવી ગુરુકુલાદિકારા કેળવણી આપવી જોઈએ સમાજે સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારભિન્ન કાર્ય કરે એ બંધ ન આપવું જોઈએ. ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું કે જેથી દેશ સમાજ સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિના વિદ્યુવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારનો નિર્ણય કરીને પ્રવૃત્તિ ક્યાંથી આત્મશક્તિને જે રીતે પ્રકાશ થવાને તે માર્ગો ખુલ્લો થાય છે અને તેથી આત્મશક્તિને અત્યંત વેગે પ્રકાશિત કરી શકાય છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાથી સ્વાસ્તિત્વપ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવૃત્ત થએલ દુષ્ટ શત્રુમનુષ્યની પ્રવૃત્તિને ધૂળ ભેગી કરી શકાય છે. મન વાણી કાયા અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યોમા પ્રવર્તાવવું, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવ; તે, પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવ-એ કંઈ પરિપૂર્ણ જ્ઞાનગને પ્રોસ કર્યા વિના બની શકે તેમ નથી. અતએ સમાજે તથા સંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં -
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy