SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - લાભાલાભ વિચારી પ્રવૃત્તિનિવૃત્તિ કરવી (૪૧). ત્મપ્રગતિ માટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાનો હક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હોય તે કરવી જોઈએ પરંતુ ફલ ન દેખાતું હોય અને આત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમા ગોધાઈ રહીને ક્રિયાપરતંત્રજીવન ન કરવું જોઈએ. જ્ઞાનપૂર્વક ક્તવ્ય કાર્યની ક્રિયાઓને વવશમાં પિતે કાષ્ઠપુત્તલિકાવત્ ન થવું જોઈએ. વય શક્તિ સંબંધ પ્રજનાદિથી અમુક ક્રિયાને પિતાને અધિકાર છે કે નહિ તેની પિતાને સમજણ પડે છે. આવશ્યકર્તવ્ય કાર્યો કયાસુધી પિતાને કરવાનાં હોય છે તે વય શકિત અવસ્થા જ્ઞાન પ્રયોજનાદિથી પિતાને તેને અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનથી સ્વાધિકાર ર્તવ્ય કર્મ યિાને નિર્ણય કર જોઈએ. ગૃહસ્થદશાત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્ય કર્મક્રિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે. કાર્ય ક્રિયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર કરે અને અન્ય ક્રિયાઓથી નિવૃત્ત થવું જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવા જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી ન્યાયાધીશના કર્તવ્યકર્મોની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફરજદારની કર્મક્રિયામાં ફેજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવું. ક્ષત્રિએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્મો કરવા અને બ્રાહ્મણોએ ગુણકર્માનુસારે. બ્રાહ્મણના કર્મની ક્રિયાઓ કરવી. ગુણકર્માનુસારે વૈએ વૈશ્યકર્મની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણકમનુસારે શોએ શુદ્ધકર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાં સુધી પિતાને અધિકાર છે ત્યાસુધી તે ક્રિયા કર્યા કરવી અને તે ક્રિયાને સ્વાધિકાર ટળ્યા બાદ તેમા પ્રવૃત્તિ કરવી નહિ-એવી મનુષ્યએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકાર ભેદકર્તવ્યક્રિયાભેદ-એ વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેને નાશ કરવાથી મનુષ્યની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતા તેઓ કાષ્ઠના પૂતળા સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હોય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમર્પી શકતો હોય તે તેના સ્વાધિકાર કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ અવબોધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મક્રિયા કરવાને સ્વતંત્ર હોવો જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલો આપીને સમજાવીને ફેરવવી જોઈએ; અન્યથા વિશ્વનું પાતંત્ર્યપ્રવર્તન કદાપિ ન થવાનું નથી અને વિશ્વ જનસમાજ સુખી થવાને નથી જે કાર્ય કરવામાં જે મનુષ્યની યોગ્યતા ન હોય તેમાં તેને પ્રવતવવાને અન્યનો અધિકાર નથી લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય સ્વયોગ્ય અધિકાર ભેદે કર્તવ્યકિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કર્મવેગને ખરેખર અનુભવ મેળવી પ્રગતિમાનું બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઈરછા, શક્તિ આદિથી કર્તવ્ય કર્મ ક્રિયાઓના ભેદમાં પરિવર્તન થયા કરે છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy