SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - ( ૧૬૪) શ્રી કાગ ગ્રથસવિવેચન. - w દષ્ટિ કરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સશુગમ દ્વારા સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનયોગે થતા કદાગ્રહથી મુકત થવાય છે. ધાર્મિક વિચારે અને આચારેને સાપેક્ષવાદે અવબોધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહથી મુકત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિયોગે કઈ પણ કર્તવ્ય કાર્યની ચારે બાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રબંધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદૃષ્ટિની બહાર જે જે સત્યો રહેલાં હોય તેઓને અસત્ય માની વા અસત્યને સત્ય માની કરાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાયોગ્ય છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવધતાં છતા માનવૃત્તિ પૂજાવૃત્તિ સત્કારવૃત્તિ સ્વપક્ષવૃત્તિ રાગવૃત્તિ અને આશ્રયવૃત્તિ આદિ અનેક મહગર્ભિત વૃત્તિથી સત્યકર્તવ્યને આદરી શકાતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્યો આગળ કથી શકાતું નથી—એમ પણ બની શકે છે. અતએ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેહવૃત્તિયોના નાશની અત્યંત જરૂર છે. માહી મનુષ્યો સત્યને અવધતા છતાં સત્યક્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતના સત્યકર્તવ્ય કાને અસત્ય કરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન ક્રોધ માન માયા લેભ કામ અને ઈર્ષ્યાદિષો જેમ જેમ જે જે અશે . ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્ય વિચારે અને આચારને . સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમા ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેને નાશ થાય છે અને સ્વફરજમા દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે; કદાગ્રહ બુદ્ધિ કરતા સત્ય બુદ્ધિ અને કદાચહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનું બલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપયોગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતોને અનેક સત્ય દષ્ટિબિન્દુઓથી અવલોકીને સત્યપૂજક બને છે અને , એવી તેની પ્રવૃત્તિથી તે સ્વકાની પ્રવૃત્તિમા અને વિચારમાં વિશ્વની સાથે ઉદારભાવ પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક્ર છે તેથી આત્મોન્નતિ કુટુંબારૂતિ સમાજેન્નતિ અને સંઘન્નતિમાં અનેક વિક્ષેપ-વિદનો ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્દભવે છે. કાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહેવા જોઈએ પરંતુ દઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલીત ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિ ફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યાવહારિકન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ બેબીને કૂતરે ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમા દઢપણે પ્રવર્તતા અન્ય મનુષ્ય તેમાં કોગ્રહ માને તે ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વર્તવ્યપ્રવૃતિને ત્યાગ કરવો ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્યસત્યપ્રવૃત્તિને કદાગ્રહવડે ભેળા ભાવથી ત્યાગ ન થાય એવું ખાસ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy