SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - - - - - -- - - - - (૪૮) શ્રી કર્મયોગ ગ્રથ-સવિવેચન. - - - - ~-- પરંતુ તે વસ્તુત મોહવૃત્તિના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી ભારત અને યુરેપની યાદવાસ્થલીની પેઠે રજોગુણ અને . તમોગુણ મનુષ્ય પરસ્પર પિતપતાને નાશ કરે છે તેમા રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને હાનિક સ્વભાવ છે એમ અવબોધવું. રજોગુણ અને તમોગુણ મનુષ્ય અપ્રશસ્ય કવાયની સેવના કરીને કષાયના વશમા ફસાઈ જાય છે. જે મનુષ્યો મન ઉપર કાબૂ મેળવવા માટે શક્તિમાન થાય છે અને પિતાની ઇન્દ્રિ પર કાબૂ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પોતાના મન-વાણી અને કાયાના રોગને પોતાના વશમા રાખી શક્તો નથી અને મન-વાણ-કાયાની શકિતને લૌકિક વ્યવહારમાં સમ્યગ ઉપયોગ કરી જાણતું નથી તે મનુષ્ય સાતિવકશકિતની ઝાખીને અનુભવ કરી શકતું નથી. અતએ રજોગુણ અને તમોગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લૌકિકવ્યાવહારિકકર્મોને સ્વાધિકારપૂર્વક દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વફરજને જ ફકત અગ્રગણ્ય ગણી વિવેકપૂર્વક કરવા જોઈએ. સાત્વિકજ્ઞાનીઓ કેવી સ્થિતિથી સાત્વિકકર્તવ્યકર્મોને કરે છે તે નીચે મુજબ જણાવે છે. સાત્વિજ્ઞાનીઓનું રાગદ્વેષનિમુકત અને ફલેચ્છાવર્જિત લૌકિકકર્મ હોય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૌકિકકર્મ કરવામાં આવે છે તે કર્મમા રાગદ્વેષરાહિત્યને ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનિમુક્ત એવા વિશેષણથી કથવામા આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લૌકિકકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ શ્રેષને પણ ધારતા નથી. લૌકિકકર્તવ્યકમેને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસારમાં બંધાવાનું થાય છે, અને સ્વફરજદષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લૌકિકકર્તવ્યકર્મોને કરતા તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા લૌકિકકર્તવ્ય કર્મ દષ્ટિએ જે લૌકિકકર્મો કરવાનાં હોય છે તે લૌકિકર્તવ્યકર્મદષ્ટિએ ફલેરછાસંગરહિતપણે કરવા જોઈએ. લૌકિકકાર્યો કરવાને માટે લૌકિકર્તવ્યર્મદષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામા આવે છે તેમાં ફલની ઈરછા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણમે શુભાશુભ ફલની ઈરછા ધારણ કરતાં જે જે ફલે ઈરછવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલે થવાના હોય તેના પર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્ય કર્મફલની પ્રાપ્તિ થતા હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શેક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવત છે–તાવત સંસાર છે અને લૌકિકકર્તવ્યકર્મમા વિવેકજ્ઞાને શુભાશુભફલપરિણામ વિના પ્રવર્તવાથી સંસારનો સંબધ નથી એમ શભાશુભ પરિણામરહિતનિર્લેપટુષ્ટિએ અવધવુ. ફલની ઈચ્છા રાખ્યા વિના લૌકિકકર્તવ્યકર્મોથી–એક તે ફલેચ્છાથી નિ સંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy