SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 蜀 આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. (૪૯). પ્રયત્ન કરી તેની સાર્થતા કરી શકાય છે અને કર્તવ્યકમતે હર્ષ થી વિમુક્ત રહેવાય છે. લૌકિકદશામા યાવત્ સ્થિતિ છે તાવત્ લૌકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતું નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતષ કહેવાય છે. જિતદેષજ્ઞાનીવડે સાત્વિકકર્મો અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ–ક્ષાત્રકર્મ–વૈશ્યકર્મ અને સેવ્યકમદિ કર્મો કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરાની આગળ લૌકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. ચેની આગળ નાટક કરતા કપિલકેવલીનું લૌકિક આવશ્યક કર્મફરજને અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાત્વિકર્મ તરીકે રાગદ્વેષરહિતપણે અવબોધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લૌકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે લૌકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુએ અહંમમત્વવૃત્તિરહિતપણે લૌકિક કર્તવ્યને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહંમમત્વ વૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્યકર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકકર્મો તરીકે કથવામા આવે છે. તથા જે કર્મો કરવામાં સાતિવકભાવના વર્તે છે તે કને સાત્વિક કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રજોવૃત્તિ અને તમોવૃત્તિરૂપ દેને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૌકિકદશામા લૌકિક આવશ્યકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમા અપુનર્બ ધકની સ્થિતિને પ્રાપ્ત કરી આત્મોન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે લૌકિકમેને તે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવબોધી તેમા પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવબોધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવીય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મચગીઓવડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપગમાં રહેવું અને બીજી તરફથી વિશ્વવર્તિ લોકિક કર્તવ્યકમેને સ્વફરજાનુસારે કર્યા કરવા એ કંઈ સામાન્ય બાબત નથી ઉચ્ચ કમેગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્ત કરણપૂર્વક પ્રયત્ન હોય તો આવી દશા પર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવાધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ જ્ઞાની, અથજી, સત્ત, આ મો ચાહિમા થતી અહંવૃત્તિથી મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પોતાને અભિમાન પ્રકટતો નથી. જ્ઞાનીકર્મવેગીઓ અવધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરેખર બાહ્ય વ્યવહારે કારણ સામગ્રીએ થયા કરે છે અને આત્મિક કર્તવ્યમે આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy