SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્ગ. ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાય-- ગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ન હોય કે ન પણ હોય. બાહા તપને એક પ્રકાર તે “કાલેશ” નામને છે.. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ. છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને રોગ એ છ પ્રકારે કાયાને. કષ્ટ આપે છે. સમ્યગૂ દર્શન સહિત કરેલી આવી વિવિધ. કોયલેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવું, એક પડખે. સૂઈ રહેવું, સૂચની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખંજવાળ સ્વેચ્છાએ સહન કરવા ઈત્યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થો માટે નહિ, પણ સાધુઓ. માટે હોય છે. કાર્યોત્સર્ગમાં કેઈ એક મુદ્રામાં શરીરને. રિથર કરવાનું છે, એટલે દ્રવ્ય કાર્યોત્સર્ગને સમાવેશ કાય-- કલેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયકલેશને પ્રકાર એ. કાઉસગ્ય નથી. ' કાઉસગ્ગથી કમની નિજા થતાં આત્મિક શક્તિ. ખીલે છે. વળી કાઉસગ દ્વારા ચેતનાશક્તિનો વિસ્તાર પણ. સાધી શકાય છે. કાઉસગ દ્વારા અન્યને પણ સહાય કરી. શકાય છે. જૈન કથાનુસાર મને રમાએ શૂળીની સજા પામેલા. પિતાના પતિ સુદર્શન શેઠ માટે કાઉસગ કર્યો હતે. યક્ષા સાધ્વીજીને સીમંધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર. સંઘે કાઉસગ કર્યો હતો. આવાં દૃષ્ટાંત દર્શાવે છે કે
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy