SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સેરીસા [ જૈન તીર્થોને જન સેવા સમાજ અને પુસ્તકાલય, ગુજરાતભરમાં પ્રસિદ્ધ મેટી પાંજરાપોળ વગેરે ઘણું ઘણું અહી જેવું છે, માટે જ અમદાવાદ જેનપુરી કહેવાય છે. જેના સઘનું એવું એક પણ મહાન કાર્ય નહિં હોય જેમાં અમદાવાદની પ્રેરણા, સહકાર ને ઉત્તેજન ન હોય, નરોડા અમદાવાદથી ત્રણ ગાઉ દૂર આ રથાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન, અતિરસ્ય અને ચમકારી પ્રતિમાજી છે. ભવ્ય અને વિશાલ જૈન મંદિર છે. અહીં શ્રી પદ્માવતી દેવીનું મહાન ચમત્કારી સ્થાન છે ગામ બહાર એક પ્રાચીન જૈન મદિરના અવશે, મંદિરના શિખરના વિભાગે, થાંભલાઓ, પા વગેરે દેખાય છે. આ ઉપરથી લાગે છે કે અહુ પ્રાચીન ભવ્ય જૈન મંદિર હશે. અહીં અમદાવાદથી રવિવારે, પૂર્ણિમાએ, પિષ દશમીએ અને વદિ દશમીએ તેમજ અવારનવાર જૈન સંધ આવે છે. અહી સુંદર છે ધર્મશાળા અને ઉપાય છે. શ્રાવકેનાં ઘર પણ સારું છે. પિષ દશમીને મેળે સારે ભરાય છે. સેરીસા અમદાવાદથી કલા અને ત્યાંથી અઢીગાઉ દર એરીસા છે, સેરીસા ગુજરાતનું પ્રાચીન શહેર છે. તીર્થની ઉત્તિ માટે નીચે મુજબ ઉલ્લેખે મળે છે. વિવિધ તીક૫માં શ્રી જિનપ્રભસૂરિજી અયોધ્યા કલ્પનું વર્ણન આપતાં લખે છે કે સેરીસા નગરમાં નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની શાખામાં થયેલા શ્રી દેવેંદ્રસુરિજીએ દિવ્ય શક્તિથી શર મહાન બિબે આકાશમાગે આયા હતા– લાવ્યા હતા. જેમણે ધરણેન્દ્ર પદ્માવતી આરાધેલ છે તેવા છત્રપાલીય શ્રી દેવે સરિ વિહાર કરતા એરીસા નગરમાં પધાર્યા. ત્યાં ઉત્કટિકાસને કાઉસગ કરતા હતા. આ રીતે વધારે વાર કાઉક્સ કરવાથી શ્રાવકે એ પૂછયું: “શ્રીપૂજ્ય આવી રીતે કાઉસગ્ન કરવામાં શું વિશેષતા છે?” સૂરિજીએ કહ્યું: “અહીંયાં એક સુંદર પાપાજીની લહી પડે છે, તેનાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી કરાવવાથી તે પ્રતિમાજી અતિશય પ્રભાવિત થશે. ત્યાર પછી શ્રાવકેના વચનથી પદ્માવતી દેવીને આરાધવા અામ કર્યો. દેવ હાજર થઈ. દેવીએ કહ્યું કે- પારક નગરમાં એક આંધળે સૂત્રધાર (શિ૯પ) રહે છે. તે આવીને અટ્ટમ કરીને સુર્યરત પછી પ્રતિમાજી ઘડવાનું કાર્ય શરૂ કરે અને સૂર્યોદય પહેલા તે પ્રતિમાજી બનાવે તો તે પ્રતિમા મહાપ્રભાવિક થશે.” શ્રાવકેએ સુધારને બેલાવવા માટે પારક નગરે મારા મોકલ્યા. સૂત્રધાર આવ્યો. જેમ દેવીએ કહ્યું હતું તેવી રીતે પ્રતિમાજી ઘડવા માંડ્યાં. ધરક સહિત પ્રતિમાજી તયાર થયાં. પ્રતિમાજી ઘડતાં છાતીમાં એક મસ દેખાવા લાગ્યું. તેની ઉપેઢા કરીને સૂત્રધારે બાકીનું કામ ચાલુ રાખ્યું. ફરીથી બધું ઠીક કરતાં મ દિઠે, તેના ઉપર તેણે ટાંકો માર્યો.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy