SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [જૈન તીને શ્રી શત્રુંજય હસ્તગિરિ તીર્થ પ્રષ્યિ છે. ઉપર મુંદર દેરી છે. તેમાં પાદુકા છે, આ સ્થાન ઘણું જ પવિત્ર છે. ચેક ગામમાં સુંદર જિનમદિર, વિશાલ ધર્મશાળા વિગેરે છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેટી કરે છે. અહી થી જાળીયા થઈ ગિરિરાજની પ્રદક્ષિણા દેતા પાલીતાણા જવાય છે. ૩ ભાઠી વીરડાની દેરી– શવંજયી નદીની પાગ પાલીતાણાથી શ્રી શત્રુંજય રોડ ઉપર જતાં નહાર બિડીગની પાસે બે રસ્તા નીકળે છે. એક રસ્તો તલાટી જાય છે અને બીજે રસ્તે સીધા શત્રથી નદી તરફ જાય છે. અહીંથી બે ગાઉ દૂર શત્રુંજી નદી છે. તેમાં ન્હાઈ, પવિત્ર થઈ ઉપર જતાં પ્રથમ એક કેરી આવે છે જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. ત્યાં થઈ આગળ ઉપર જતાં અધે રસ્તે એક દેરી અને વિસામે છે. ત્યાં એક કંડ છે. આ કુંડને વિસામે રાધનપુરવાળાએ બંધાવેલ છે. અહીં દર્શન કરી ઉપર દાદાની માં જવાય છે. નદી પાસે એક પાણીની પરબ બેસે છે તેને ભાડીનેવીરડો કહેવામાં આવે છે. જ રહીશાળાની પાગ( છ ગાઉની પ્રદક્ષિણાવાળા રસ્તે એટલે કે રામપળની બારીએથી રહીશાળાની પાગે જવાય છે તેમજ શત્રુંજી નદીવાળા રસ્તેથી આગળ જતાં રહીશાળાની પાગ આવે છે. નજીકમાં ગામ છે. ત્યાં સડકને કિનારે વિશાલ ધર્મશાળા તથા જિનમંદિર છે. આ નૂતન ભવ્ય જીન મંદિર અને સુંદર ધર્મશાલા વગેરે પૂ. પા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જ તૈયાર થયેલ છે. અહીંની વ્યવસ્થાપો શેક ધ પેઢી કરે છે. ત્યાંથી અર્થે પિ માઈલ દૂર તલાટી છે. ત્યાં ભાતું અપાય છે. ઉપર દેરી છે. એક કુંડ છે. દર્શન કરી ઉપર જવાય છે. ૫ ઘેટીની પાગ મેટીકની બહાર નીકળી નવ ટંકના રસ્તે જતાં સીધે સન્મુખ રસ્તે કિલ્લાની ૧ અહીંથી નીચે ઉતર્યા પછી આદપર આવે છે ત્યાંથી દૂર ઘેટી ગામ છે. ત્યાં દેવરાસર ઉથાય છે ત્યાં શ્રાવકનાં વર છે ઘેટી ગામ ઘણું પ્રાચીન છે. પહેલા અહીંથી પણ ઉપર ચઢાતું હતું મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તરિજી મહારાજ પહેલાં અહીંથી ઉપર ચહ્યા હતાં. તેમજ વર્તમાન યુગમાં અહીં પ્રથમ ઉધાર જાવડશાહે કરાવ્યો છે. ત્યાર પછી જુદા જુદા સમયે ઉધાર થના જ આવ્યા છે. પાલીતાણાથી દસ ગાઉં દૂર છાપરીયાલી ગામ છે જે ભાવનગરના મહારાજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેટીને ભેટ આવેલું છે ત્યાં પેઢી તથી સુંદર પાંજરાપોળ ચાલે છે. ત્યાં પાસે ટેકરી ઉપર એક દેહરી છે તેમાં પ્રતિમાજી છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy