SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ --- ઈતિહાસ ]. : ૯૩ : શ્રી શત્રુંજય ત્યાંથી માઈલ દેઢ માઈલ દૂર તલાટી છે, ત્યાંથી ઉપર ચઢાય છે. ઉપર શત્રુ. જયાવતાર, રૈવતગિરિ અવતાર તથા શ્રી નમિનાથજીનાં ભવ્ય મંદિર છે. દૂરથી આ ધવલશિખરી ઉત્તમ મંદિર બહુ જ આકર્ષક, રમ્ય અને મનહર લાગે છે. શ્રી નમિનાથજીના મંદિરથી ઉપર ચઢવાનું છે. ચઢાવ ઘણું કઠણ છે. ઉપર એક સુંદર ચિતરા ઉપર દેરી છે જેમાં બે જોડી પાદુકાઓ છે. કદંબગણધરની આ પાદુકાઓ છે. ગઈ વીશીના બીજા નિરવાણ તીર્થકરના શ્રી કદંબગણધર ગઈ* ચેવોશીમાં કોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા હતા. આ બન્ને પાદુકાઓ પર લેખ છે. એક પાદુકાયુગલ જૂની સં. ૧૬ + ૪ ની છે. પ્રતિષ્ઠાપક તપાએ શનિવનિસૂમિ : ગ્રહનું નામ પણ છે પરન્તુ વંચાતું નથી. બીજી પાદુકાયુગલ સં. ૧૮૬૩ * * * ૩ત્તમચંદ * * * પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતુ. ઉતરતી વખતે વાવડી પ્લેટ તરફ જવું. ત્યાં પણ સુંદર જિનમંદિર અને નૂતન બનતી સેંકડે જિનમૂર્તિએ તથા ગુરુમૂર્તિઓ પણ છે. લેયર વિગેરેમાં પણ દર્શનીય જિનમૂર્તિઓ છે. પ્રતિષ્ઠા અંજનશલાકા બાકી છે. આ આખા તીર્થની વ્યવસ્થા શ્રી શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. તેલા. ટીએ ભાતું અપાય છે. પેઢીની વ્યવસ્થા સારી છે. યાત્રિકોને માટે ભોજનશાળા વગેરેની સગવડ સારી છે. કદંબગિરિથી અઢીથી માઈલ દૂર એક છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે. ત્યાં નજીકમાં હસ્તગીરિ તીર્થની ટેકરી છે. પહાડ ના છતાં ચઢાવ કઠણ છે. શ્રી કદંબગિરિરાજને શોભાવવાનું, સુંદર મંદિરથી અલકૃત કરવાનું અને તેની સારી પ્રસિધ્ધ, મહામ્ય પ્રસરાવવાનું માન પૂ. પા, આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરિજી મહારાજને ઘટે છે. તેમણે ભગીરથ શ્રમ લઈ તીર્થોધ્ધાર કરાવ્યું છે અને જંગલમાં મંગલ વતાવ્યું છે. હસ્તગિરિ. કદંબગિરિથી એક ગાઉ એક ગામ આવે છે. અહીં સરકારી થાણું છે. ગામના પાદરે ભગવતી શત્રુંજયી નદી વહે છે. નદી ઓળંગી સામે કાંઠે બે માઈલના ચઢવાને હરગિરિ પહાડ છે અહીં ચક્રવતી રાજ ભરત મહારાજા અનશન કરી બેસે પધાર્યા છે. તેમજ તેમને હાથી પણ અનશન કરી અર્શી સ્વર્ગે સિધાવેલ છે તેથી » ગઈ ચોવીશીના અંતિમ તીર્થકર શ્રી સંપ્રતિ જિનદેવના ગણધર કરબ મુનિ એક કોડ મુનિવરો સાથે અનશન કરી અહીં મોક્ષે પધાર્યા છે એ બીજે સ્થાને ઉલ્લેખ મળે છે. શ્રી શત્રુંજયગિરિરાજના ૧૦૮ નામમા આ શિખરનું નામ છે કદંબગિરિ, શ્રી શત્રુંજયગિરીરાજનું એક શિખર જ છે. આ શિખર પણ સજીવ છે. અનેક રમો, વનસ્પતિઓ અને સિદ્ધિઓનું સ્થાન છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy