SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ણતિશ્ય છે અને વ્યવહાર કાળ, સૂર્યચંદ્રાદિના ભ્રમણથી ઉત્પન્ન થયેલ છે. વ્યતીત થયેલ અનંત સમયે તથા ભવિષ્યના અનંત સમાન અવિદ્યમાનતા હોવાથી વિદ્યમાન તે એક વર્તમાન સમય જ છે, માટે કાળદ્રવ્ય વર્તમાન એક સમયરૂપ છે. જેથી સ ખ્યાથી એક છે, પણ વ્યવહારથી તે સમય, આવલિ ઈત્યાદિ અનેક ભેદની અપેક્ષાએ અનેક છે. ક્ષેત્રથી, નૈક્ષયિક કાળ કલેક પ્રમાણ છે. અને વ્યાવહારિક કાળ તે અઢી દ્વીપ બે સમુદ્ર પ્રમાણ છે. આ બન્ને પ્રકારના કાળ અનાદિ કાળથી છે, અને અનંત કાળ સુધી રહેવાના છે. કાળ તે વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. (૬) ચેતના લક્ષણયુક્ત તે જીવાસ્તિકાય છે. ચેતના તે ઉપયોગ સમજ ઉપગ બે પ્રકારનો છે. (૧) જ્ઞાનેગ અને (૨) દશનેપગ. જીવ તે અમૂર્ત છે, પણ વ્યવહારની અપેક્ષાએ કર્મધીન હોઈ મૂર્તિમંત કહેવાય છે. ચૌદ રજુપ્રમાણ કાકાશ ક્ષેત્રમાં જ અસ્તિત્વ ધરાવવાવાળા તે જીવે અનંતાનંત સંખ્યા પ્રમાણ છે. અલેકાકાશમાં તે આકાશ સિવાય અન્ય કે દ્રવ્ય નહિ હોવાથી જીવનું અસ્તિત્વ પણ ત્યાં ન હોય. કાકાશમાં જીવાસ્તિકોય અનદિ કાળથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળા છે. વર્ણાદિ રહિત છે. આકારથી ભિન્ન ભિન્ન વ્યક્તિએ વિચારીએ તે વિચિત્ર આકારના છે. પરંતુ એક જીવ પોતાની અવગાહના સમગ્ર લંકાકાશ પ્રમાણુ ફેલાવવાના સામર્થ્યવાળે છે. - ક
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy