SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ક્ષપશમિક ભાવ છે. માટે જ જીવે સમ્યકત્વ અને ચારિત્રગુણના ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવના પુરૂષાર્થી બની રહેવાનું જૈનશાસ્ત્રોમાં દર્શાવ્યું છે. આ રીતને પુરૂષાર્થને પરિણામે આત્મા સ્વગુણના આચ્છાદક કને હટાવતો હટાવતે આગળ વધે છે. કર્મને એ અજબ મહિમા છે કે મોક્ષમાર્ગની સાધનામાં પણ અનેક પ્રકારની આંટીઘુટી ઊભી કરે છે. એટલે કેટલીક વખત ગુણસ્થાનરૂપ અવસ્થામાં આગળ વધેલ આત્મા પાછા પણ પડી જાય છે. એમ ચડન–પડન કરતાં ખરેખર ધીર, દ્રઢચિત્ત, સહનશીલસાધક, મોક્ષમાર્ગના કટને-દુસહ કર્મવિપાકને અવિચલિતપણે વેદતે થકે કેમ કમે આગળ વધે છે. કર્મબંધન જેટલાં કઠોર છે, તેટલે. જ આ મોક્ષમાર્ગ આકરે છે. ચૌદ અવસ્થારૂપ ચાદ ગુણસ્થાનક પૈકી કઈને કઈ એક ગુણસ્થાનકને વિષે સંસારી જીવમાત્ર અવસ્થિત હોય છે. વિકાસની દ્રષ્ટિએ એક કરતાં બીજુ ગુણસ્થાનક અધિક ગુણનું સ્થાનક છે. ચૌદ ગુણસ્થાનક એ મોક્ષ મહેલની સીડીમાં ચૌદ પગથીઆ રૂપ છે. સ્વવીય ફેરવતો આત્મા જ, એ પગથી વટાવતે આગળ વધે છે. તે ચૌદગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે. (૧) મિથ્યાદ્રષ્ટિ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અસંયત (૫) દેશસ યત (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂમસં૫રાય (૧૧)
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy