________________
૧૫
શુદ્ધાનુભાવને લક્ષીને શબ્દની પસંદગી કરી હતી તે તે જિનધિનને ઉપગ કરત.
અષ્ટપલી માં વારંવાર આનંદઘન શબ્દને કરેલા ઉપગ વ્યક્તિગત છે. એ અષ્ટપદીની ઉત્પત્તિ જ કહી આપે છે. જેની પુષ્ટિ થીઆનંદઘનજીએ યશવિજ્યજીના કરેલા પદથી સહજ રીતે થાય છે. આ બે મહાત્માનું મિલન જે અર્થનું હતું તેમાં લોકોને જુદા જ અર્થ સમજાય. તે વિશે આમ કહેવાય છે
(૧) તેઓ (વિજય) વિદ્યાના મદમાં આવી જઈ ખંડનમંડનમાં પડી ગયા હતા. એમનામાં આંતર વૃત્તિ નહોતી! તે આનંદધનજીએ તેમને કરાવી! અર્થાત આધ્યાત્મિકતા યશવિજયમાં આવી હોય તે તે શ્રીઆનંદઘનના સમાગમથી.
૨) શ્રીઆનંદઘનજીને પિતાને અંતકાળ નજીક જણાતાં પિતાની પાસેની લબ્ધિસિદ્ધિ અન્યને આપવાની ઈચ્છા થઈ આવી. આ માટે તેમની યશવિજ્ય ઉપર પસંદગી ઊતરતાં, કાગળ લખી તેમને લાવ્યા. તે પ્રમાણે યશેવિય તેમની પાસે આવ્યા. એક વકતાના કથન મુજબ તે તેમને છ માસ સુધી શુ પ્રજને બોલાવ્યા છે તેની જાણ આનંદઘનજીએ કરી નહિ એટલે ત્યાં સુધી તેઓ એમ ને એમ હૈયે રાખી બેસી રહ્યા ! તે પછી ઘેય ખૂટતાં પિતાને લાવવાનું પ્રયોજન પૂછ્યું. આનંદઘનજીએ કહ્યું: “હવે કાંઈ નહિ. તમે પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા! મારે વિચાર તમારામાં પૈય–ગાંભીર્ય કેટલું છે, નિમમત્વ-અનિચ્છિતભાવ કેટલા છે તે તપાસી મારી પાસેની લબ્ધિ-સિદ્ધિ તમને આપવાને હતે પણ તમે અધીરા બન્યા. હવે તમે એને ચગ્ય નથી. આથી ઉપાધ્યાય વિલખા પડી એમ ને એમ પાછા ફર્યા. શ્રીઆનંદઘનજીએ પિતાની બધી લબ્ધિ-સિદ્ધિ ભૂમિમાં ભંડારી. (તે પહેલાં) બીજા વક્તાએ શાસનકામના ઉપગ માટે તેમણે સુવર્ણસિદ્ધિ માગીઃ એ રીતનું કહ્યું હતું. (મુંબઈના એક ભાષણમાં).
હવે આપણે પ્રથમ માન્યતાને વિચાર કરીએ. શ્રીયશોવિજ્યજીએ કાશીમાં રહી સર્વ શાસપારંગતતા મેળવી, આથી એમની પ્રજ્ઞા જ્ઞાનના દરેક પ્રદેશ ઉપર ફરી વળી, જેણે તેના અશે અંશનું સમ્યમ્ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રાપ્ત ભાવના દર્શનપક્ષે, મતાગ્રહવાદ, ધર્મભ્રમે અને તેથી પ્રચલિત થયેલા ધમાલાસરૂપ અનુષાને વગેરેના આંતર સ્વરૂપને સ્પર્શતી હોય એમ આપણે જોઈએ છીએ. એમને જે વસ્તુ નયાપેક્ષ લાગતી ત્યાં તેને સમન્વય કર્યો છે. મિથ્યાવાદરૂપે લાગી તેનું ખંડન કર્યું છે, જે ભ્રમિત હતું તેનું સ્પષ્ટ ભાન કરાવ્યું છે, અને જ્યાં મૂઢતા તથા દુષ્ટતા હતાં ત્યાં સબળ હાથે કામ લીધું છે. એમાં આપણે એમની શાસ્ત્રવિશારદતા, તટસ્થતા, નિર્ભયતા અને નિર્મળતાનાં દર્શન કરીએ છીએ. તે સાથે આપણને એમને કલ્યાણકર પ્રબળ પુરુષાર્થ પણ યાદ આવે છે. * *
તેમના સમયની સ્થિતિ ખ્યાલમાં લેતાં લેવાય છે કે, સાધુઓમાં પ્લાનિકર શિથિલાચાર વાસ કર્યો હતે. તેઓ પરિગ્રહના ગ્રહથી ગ્રસિત થયેલા હતા. દ્રવ્ય પ્રાપ્તિ એ જ ક્રિયાકાંડ તથા મનુષાનું પ્રયોજન હોય એમ સમજાતું હતું. એટલે એમાંથી ધમને પ્રાણ ઊડી ગય હતે.
ય