________________
ध्यानसामग्री।
ભવરૂપ સમુદ્ર કે જે જન્મ, જરા અને મરણરૂપ પાણીથી અપૂર્ણ છે અને જેમાં કામરૂપ વડવાનલ પ્રજવલિત છે, મોહરૂપ વમળ છે અને વિપત્તિરૂપ માછલાં છે, આવા આ ભવસમુદ્રમાં સુખ કયાંથી હોઈ શકે.
૩૦
ભયંકર સંસારવનમાં પ્રાણી એકલે અત્રતત્ર ગમનાગમન કરે છે. મોહવશ પરને સારૂ પાપ કરી પરલોક એકલ સિધાવે છે અને ત્યાં બીચારે એકલો જ પિતાનાં કમરના દુર્વિપાકે ભગવે છે.
૩૧ આ સચ્ચિદાનન્દરૂપ આત્મા નિખિલ બાહા જગથી, અખિલ જડ જગતથી વિલક્ષણ છે. આ શરીર જ ચાખી રીતે આત્માથી ભિન્ન છે, ત્યારે પછી બીજી કઈ વસ્તુ આમાની કહી શકાય? આત્માથી અભિન માની શકાય?
ર
આ શરીર ક્ષણભંગુર છે અને એમાં નવ દ્વારાથી અશુચિ વહી રહી છે. આમ આ શરીરની સ્થિતિ ધૃણા
સ્પદ છે. પછી એના માહમાં પડી કેણુ ડાહો મનુષ્ય પિતાનું હિતસાધન સૂકે !