________________
गोशालकज्ञातम् ।
१३२
भगवन्नाम्ना ज्वालितवान् । ततः स्वामी बहिर्हलिद्रासन्निवेशात् हरिद्रावृक्षस्य अधः प्रतिमा तस्थौ पथिकप्रज्वालिताऽग्निना अनपसरणात् प्रभोः पादौ दग्धौ, गोशालो नष्टः, ततः स्वामी नंगलाग्रामे वासुदेवगृहे प्रतिमया स्थितस्तत्र गोशालो डिम्भभाप अक्षिविक्रियां कुर्वन् तत्पित्रादिभिः कुट्टितो 'मुनिपिशाच' इत्युपेक्षितः । ततः स्वामी आवर्त्तग्रामे बलदेवगृहे प्रतिमया स्थितः, तत्र गोशालेन बालभापनाय मुखत्रासो विहितः, ततस्तत्पित्रादयो ग्रथिलोऽयं किमनेन हतेन ? अस्य गुरुरेव हन्यते इति भगवन्तं हन्तुमुद्यतास्तांश्च बलदेवमूर्त्तिरेव बाहुना लाङ्गलं उत्पाट्य न्यवारयत्, ततः सर्वेऽपि स्वामिनं नतवन्तः । ततः प्रभुः चोराकसन्निवेशं जगाम तत्र मण्डपे भोज्यं पच्यमानं दृष्ट्वा गोशालः पुनः पुनः न्यग्भूय वेलां विलोकयति स्म, ततस्तैश्चोरशङ्कया ताडितः, अनेनाऽपि रुष्टेन स्वामिनाम्ना स मण्डपो ज्वालितः । ततो गोशाल: स्वामितः पृथग्भूतोऽन्यस्मिन् मार्गे गच्छन् पञ्चशतचौरै: 'मातुल मातुल' इति कृत्वा स्कन्धोपरि आरुह्य वाहितः । खिन्नोऽचिन्तयत् 'स्वामिनैव सार्धं वरम्' इति, स्वामिनं मार्गयितुं लग्नः । ततः स्वामी भद्रिकायां षष्ठवर्षासु चतुर्मासतपो विविधानभिग्रहांश्च अकरोत्, तत्र पुनः षण्मासान्ते गोशालो मीलितः ।
....
-
तत બાળવા આવ્યો. તેનું ઘર ન મળ્યું. એટલે પ્રભુના નામથી તે પાળાને જ બાળ્યો. પછી પ્રભુ હલિદ્રાસંનિવેશની બહાર હરિદ્રાવૃક્ષની નીચે કાઉસ્સગ્ગમાં રહ્યા. મુસાફરોએ સળગાવેલ અગ્નિ બુઝવ્યો નહોતો. તેથી અગ્નિએ પ્રભુના પગ બાળ્યા. ગોશાળો ભાગ્યો. પછી પ્રભુ નંગલા ગામમાં વાસુદેવના ઘરમાં કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં ગોશાળાએ છોકરાઓને ડરાવવા આંખથી ચાળા કર્યા. તેમના માતા પિતા વગેરેએ તેને માર્યો. મુનિપિશાચ સમજીને છોડી દીધો. પછી પ્રભુ આવર્ત ગામમાં બળદેવના ઘરમાં કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં ગોશાળાએ બાળકોને ડરાવવા મુખથી ચાળા કર્યા. તેમના પિતા વગેરે ‘આ તો ગાંડો છે. એને મારવાથી શું ? એના ગુરુને જ મારીએ' એમ વિચારી પ્રભુને મારવા તૈયાર થયા. બળદેવની મૂર્તિએ જ હાથમાં હળ લઈને તેમને અટકાવ્યા. પછી બધા પ્રભુના પગમાં પડ્યા. પછી પ્રભુ ચોરાક સંનિવેશમાં ગયા. ત્યાં મંડપમાં ભોજન રંધાતું જોઈ ગોશાળો વારંવા૨ નીચું વળીને સમય જોતો હતો. તેથી ચૌરની શંકાથી તેઓએ તેને માર્યો. તેણે પણ ગુસ્સે થઈ પ્રભુના નામથી તે મંડપ બાળ્યો. ...પછી ગોશાળો પ્રભુથી જુદો થઈ બીજા રસ્તે જતો હતો ત્યાં રસ્તામાં પાંચ સો ચોરોએ ‘મામા, મામા’ કરીને તેની પીઠ ઉપર બેસી તેને હંકાર્યો. તે ઉદાસ થઈ વિચારવા લાગ્યો - ‘પ્રભુની સાથે જ સારું હતું.' પછી પ્રભુને શોધવા લાગ્યો....પછી પ્રભુએ ભદ્રિકામાં છઠ્ઠા ચોમાસામાં ચારમાસનો તપ અને વિવિધ અભિગ્રહ કર્યા. ત્યાં છ માસને અંતે ફરી ગોશાળો