SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद वादोपनिषद् [ગથાષ્ટમી વાદ્રઢäરિવI] श्रीवर्द्धमानमानम्य, प्रवादमूलमूलदम् । गुणगुरोर्गुरोश्चापि, प्रणम्य पादपङ्कजम् ।। वादापवादनिरतां जनतां निरीक्ष्य, ___ वादापवादविरतां स्वरतां च कर्तुम् । वादादिमोपनिषदं निगदामि दामि, વાવહિવાર્યત્તતા વિવીધોડથું ! યુHT इह हि परमकारुणिकः श्रीसिद्धसेनाचार्यो दुःषमाकालानुभावानुभूयमानवादविवादप्रभावपराभूयमानतत्त्वाभिनिवेशादिभावान् निभालयन् तानुदर्तुमीप्सुर्वादद्वात्रिंशिकामारभते, तत्रादावेव वादिदौःस्थ्यमाविष्कुर्वन्नाह - સર્વ દર્શનોનું મૂળ છે દ્વાદશાંગી અને દ્વાદશાંગીનું મૂળ છે ત્રિપદી. એવી ટપદીના દાતાર શ્રીવર્ધ્વમાનસ્વામીને નમસ્કાર કરીને તથા ગુણોથી મહાન શ્રીગુરુના પાદપંકજને પ્રણામ કરીને... વાદ-અપવાદ (નિંદા વગેરે) માં ખૂબ આસક્ત એવી જનતાને જોઈને એ જનતાને એનાથી વિરત અને આત્મસ્વભાવમાં રત કરવા માટે વાદોપનિષદ્ કહું છું અને તેના પ્રભાવે ‘વાદ' વગેરે વાદળાઓથી કુવૃષ્ટિ દ્વારા થયેલી સંકલેશોરૂપી વિષવેલડીઓને કાપી નાખું છું. અહીં પરમકરુણાના ધારક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ જોયું કે દુઃષમાકાળના પ્રભાવે વાદ-વિવાદનો પ્રભાવ અનુભવાય છે. તેના કારણે તત્ત્વ પ્રત્યેની લાગણી વગેરે શુભ ભાવો દબાતા જાય છે. માટે તેઓએ એ શુભ ભાવોના ઉદ્ધારની ભાવનાથી વાદદ્ધાનંશિકાની રચના કરી. તેમાં શરૂઆતમાં જ વાદ કરવાથી જે દુર્દશા થાય છે તેને પ્રગટ કરતાં તેઓ કહે છે કે - ૧. યસન્નતિન T | ग्रामान्तरोपगतयोरेकामिषसङ्गजातमत्सरयोः। स्यात् सौख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ।।१।। ग्रामान्तरोपगतयोः एकामिषसङ्गजात-मत्सरयोः शुनोरपि सौख्यं स्यात्, भ्रात्रोरपि वादिनोर्न स्यादित्यन्वयः। स्वग्रामे तु स्यादपि पाटकादिव्यवस्थाकृतमात्सर्यादिहानिरिति मात्सर्योद्रेकं प्रदिदर्शयिषुराह- ग्रामान्तरमिति । तमुपगतौ तत्सामीप्यं यातौ। न तु मध्ये, आमिषाद्यशुचीनां ग्राममध्ये दुःसम्भवात् । तथापि स्वस्वसन्तोषप्रयोजकामिषान्तरप्राप्ती मात्सर्यविरह इत्याह एक इति । समानविषयकव्यधिकरणग्रहणाभिनिवेशो हि मात्सर्ययोनिरिति तात्पर्यम् । બીજા ગામમાં ગયેલા, એક માંસપિંડના સંગથી જેમને મત્સર થયો છે એવા બે કૂતરાઓને સુખ હોઈ શકે, પણ પરસ્પર વાદ કરતા સગા ભાઈઓને પણ ન હોઈ શકે. ll૧] પોતાના ગામમાં તો મારી આ શેરી ને તારી આ શેરી, આવી કો'ક વ્યવસ્થાથી માત્સર્ય વગેરે ઓછા પણ થઈ શકે, માટે ઉત્કટ માત્સર્ય બતાવવા બીજા ગામે ગયેલા એમ કહ્યું છે. તેમાં પણ ઉપ એટલે સમીપ, ગામની પાસે ગયેલા, વચ્ચે નહીં, કારણ કે માંસ જેવી અશુચિ વસ્તુનો ગામ વચ્ચે ઓછો સંભવ છે. આમ છતાં પોતપોતાને સંતોષજનક માંસપિંડ મળી જાય તો માત્સર્ય ન થાય, માટે ‘એક’ આમિષ એમ કહ્યું છે. એક જ વસ્તુ લેવા માટે બે જણને આગ્રહ થાય - મારે જ જોઈએ. એવી ઈચ્છા થાય એ જ તો માત્સર્યનું કારણ છે. આ રીતે એક માંસના ટુકડાને જોવા-સુંઘવા વગેરે કારણે થયેલ તેમાં રાગરૂપી સંબંધથી જેમને બીજાનો ઉત્કર્ષ સહન ન થવાથી - મને ન મળે એ એને કેમ મળે ? એવી ભાવનાથી . - યોરિ ૨. - ચાત /
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy