SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ -सत्त्वोपनिषद् पीत्याशया, संसारे - दुःखस्वरूपफलानुबन्धलक्षणे गतिचतुष्के पतति - पतनपीडामनुभवति । व्रतभङ्गस्य महापापत्वात्, ज्ञापकं चात्र तन्निवारणपरः विसं पिब- इत्याद्यागमः। न हि परमकारुणिकानां भगवतां पुष्टालम्बनमन्तरेणैतादृशमापातकठोरमभिधानम्। प्रतिज्ञाविलोपभयादेवाष्टोच्छ्वासमानकायोत्सर्गोऽपि परिपूर्णाऽऽकारो क्रियत इति भावनीयम् । पुनरपि सत्त्वविरहविजृम्भितमाहसावधं सकलं योगं, प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीबः, सेवते धैर्यवर्जितः ।।३।। अन्यसाक्षिकमित्यर्हदादिसाक्षिकम्। संयमप्राप्त्यवसरवीर्योल्लासस्मृत्या प्रतिदिनं प्रथमदिनत्वकल्पना कार्या, सम्भाव्यमानान्तिमत्वदिनकल्पना सत्त्वोपनिषद् - व्रतादिलक्षणधर्मे प्रवर्तते, तदाऽपि यमनर्थं प्रपद्यते तमाह हीनसत्त्वो यतो जन्तुर्बाधितो विषयादिभिः । बाढं पतति संसारे, स्वप्रतिज्ञाविलोपनात् ।।२।। यतः - यस्मात्, अस्माद्धेतो_नसत्त्वस्य धर्मेऽनधिकार इत्यर्थः, हीनसत्त्वः - पूर्वोदितः, जन्तुः - जीवः, विषयादिभिर्बाधितः - विषयतृष्णाकषायोदयादिभिः कदर्थितः, स्वप्रतिज्ञा महाव्रतादिलक्षणा, तस्या विलोपनात् दर्पादिना खण्डनात्, बाढम् - अत्यन्तम्, यथासम्भवमनन्तकालं यावदએ જીવ વ્રત વગેરે ધર્મમાં પ્રવૃત્તિ કરે, તો પણ જે અનર્થને પામે છે તેને જણાવતા પરમર્ષિ કહે છે - ધર્મમાં અલાસત્ત્વવાળા જીવનો અધિકાર નથી. કારણ કે એ જીવને પ્રબળ વિષયતૃષ્ણા જાગે કે કષાયોદય થાય તો તેનાથી કદયિત થયેલો તે જીવ પોતાની મહાવત વગેરે રૂપ પ્રતિજ્ઞાનો દર્પ, પ્રમાદ વગેરે છેદસૂત્રો નિર્દિષ્ટ કારણોથી ભંગ કરે છે અને તેના કારણે યથાસંભવ અનંતકાળ સુધી પણ સંસારમાં પડે છે, એ સંસાર સ્વયં દુ:ખરૂપ છે એનું ફળ પણ દુઃખરૂપ છે અને તેનાથી અનુબંધ પણ દુઃખનો જ થાય છે. આ ચાર ગતિના ચકરાવામાં પડીને જીવ પીડા અનુભવે છે. કારણકે વ્રતભંગ એ મહાપાપ છે. આ વિષયમાં જ્ઞાપક છે આગમવચન. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે ‘ચાસ્ત્રિ પાળવા તદ્દન અસમર્થ હોય તેવા મુનિએ આઠ ગણો તપ વગેરે ઉગ્ર ચર્યા પાળવી. એ ઉપાયો નિષ્ફળ જ જાય તો ઝેર પી લેવું પણ પ્રતિજ્ઞાભંગ ન કરવો.’ વ્રતભંગનિવારણ એ કેટલું ગાટ કારણ હશે કે જેના કારણે કરુણાના સાગર એવા ભગવંતોએ પણ આવું કઠોર લાગતું વચન કહ્યું હશે ! ‘વયમો ગુણો’ આવું જણાવવા સાથે આગમમાં કહ્યું છે કે પ્રતિજ્ઞાભંગના ભયથી જ એક નવકારનો કાઉસ્સગ્નમાં પણ ૨. ---- સત્ય | ૨. - ચાર્ટ | ૩. - પવિતા ૪, ૫- Tમાન્ | બધાં આગારો-અન્નત્થ સૂત્ર દ્વારા બોલવામાં આવે છે. આના પરથી પ્રતિજ્ઞાપાલન કેટલું મહત્ત્વનું છે, નાની પણ પ્રતિજ્ઞાનો ભંગ કેટલો ભયંકર છે એ સમજવું જોઈએ. જરૂર છે સત્વની, વ્રતપાલનનાં અજોડ વૈર્યની, જેથી વિષયકષાયના સૈન્યને પરાજિત કરીને જયપતાકા ફરકાવી શકાય. હવે પરમર્ષિ ફરીથી સત્ત્વના અભાવે થતો અનર્થ દર્શાવે છે - ‘આત્મસાક્ષિક જ નહીં, અરિહંત-સિદ્ધ-દેવ-ગુરુ-સંઘની સાક્ષીએ પણ સર્વસાવધના પચ્ચખ્ખાણ કર્યા પછી પણ ઘેર્યરહિત કાયર આત્મા જાણે એ બધું ભૂલી જાય છે અને ફરીથી સાવધનું સેવન કરે છે. સત્ત્વને ખીલવવા રોજ બે વિચાર કરો - (૧) (જાણે) આજે મારો સંયમનો પ્રથમ દિવસ છે. (૨) (જાણે) આજે મારો જીવનનો અંતિમ દિવસ છે. ૨. - સત્રયો | ૨, ૩- - જીવઃ |
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy