SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ -~~ર્મસિદ્ધિઃ तत्पूर्वक्षणत्वेन हेतुत्वं तदुत्तरक्षणविशिष्टे कार्ये तत्क्षणत्वेनेव बेति विनिगमनाभावाच्च। किञ्च- समानेऽपि काले मृत्पिण्डे घटा, न तन्तुष्वतोऽपि कालातिरिक्तदेशादिनियामकस्य हेतुत्वेनाश्रयणीयत्वं स्यात् । ननु मृत्पिण्डादन्यत्र घटस्यानुत्पत्तिरेव देशादिनियामिकाऽस्तु, कालहेतुसत्त्वेऽपि देशे कार्यानुपपत्तेरिति चेत् ? न, जन्यतासम्बन्धेन मृद्भिन्नत्वेन આપત્તિનો પરિહાર નથી થતો. કારણ કે જ્યારે કાળને જ કારણ માનશો ત્યારે સર્વ કાર્યોમાં તક્ષણવૃત્તિત્વની આપત્તિ આવશે. માટે સર્વ કાર્યો એક ક્ષણ વૃત્તિ થઈ જશે. તેથી કાર્યતાવચ્છેદકરી કોટિમાં તક્ષણવૃત્તિત્વનો અંતર્ભાવ વ્યર્થ થઈ જશે. વળી એમાં પણ કોઈ વિનિગમના નહી રહે કે તક્ષણના પૂર્વેક્ષણને તક્ષણવૃત્તિ કાર્ય પ્રત્યે તક્ષણપૂર્વક્ષણત્વરૂપથી કારણ માનવું કે પછી તક્ષણોતરક્ષણવૃત્તિ કાર્ય પ્રત્યે તક્ષણસ્વરૂપે કારણ માનવું. કારણ કે લાઘવ-ગૌરવ તો બંનેમાં સમાન જ છે. જેમ વ્યવહિત એવા તક્ષણોત્તરક્ષણવૃત્તિ કાર્યની ઉત્પત્તિની આપત્તિનો પરિહાર કરવા માટે બીજા કાર્ય-કારણભાવમાં કાર્યતાવચ્છેદકરી કોટિમાં જેમ તક્ષણાવ્યવહિતોતરત્વનો નિવેશ આવશ્યક થશે, તે જ રીતે વ્યવહિત પૂર્વેક્ષણની તક્ષણવૃત્તિકાર્યની ઉત્પત્તિની આપત્તિના નિવારણ માટે પહેલા કાર્યકારણભાવમાં કારણતાવજીંદકની કોટિમાં તક્ષણાવ્યવહિત પૂર્વત્વનો નિવેશ પણ આવશ્યક થશે. વળી કાળ સમાન હોવા છતાં પણ માટીના પિંડમાં જ ઘટની ઉત્પત્તિ થાય, તંતુઓમાં નહીં, તેના પરથી પણ કાલથી અતિરિક્ત એવી દેશાદિનિયામક વસ્તુને હેતુરૂપે માનવી જ પડશે. પૂર્વપક્ષ :- જુઓ, માટીના પિંડ સિવાય બીજે ઘટની ઉત્પતિ નથી થતી. એ અનુત્પત્તિ જ દેશાદિની નિયામિકા છે. કારણ કે કાળરૂપી હેતુ હોવા છતાં પણ તે દેશમાં કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી. ક્રમદ્ધિઃ - ~~ मृदवृत्तित्वस्यापाद्यत्वात् । अथ तन्नियामकं तत्स्वभावत्वेन क्वाचित्कत्वमुक्तमेवेति चेत् ? न, फलतः तत्स्वभावत्वस्यवापाद्यत्वादिति । ઉતરપક્ષ :- ના, તમે આપેલી આપત્તિનું તાત્પર્ય એ જ છે કે ઘટ જો કાલ માત્રથી જન્ય હોય, તો એ માટીથી અજન્ય હોવાને કારણે માટીમાં અવૃત્તિ થઈ જશે. કારણ કે એવો નિયમ છે કે જે જેનાથી જન્ય ન હોય, તે એમાં અવૃત્તિ હોય છે. ઘટમાં ‘માટીમાં અવૃત્તિત્વ'નું આપાદક ‘માટીથી અન્યત્વ” છે. માટીથી અજવ્યત્વનો અર્થ છે - જન્યતા સંબંધથી માટીવાળાથી ભિશત, આવું માનવાથી ‘માટીથી જખ્યત્વ' ની અપ્રસિદ્ધિથી ‘માટીથી અજન્યત્વ' ની પણ અપ્રસિદ્ધિ થવાથી ઉક્ત વ્યાતિની અસિદ્ધિ થવાની આપત્તિ નહીં આવે. આશય એ છે કે ઘટ જ ન ખબર હોય તો અઘટ પણ ન જ જણાય, એમ ‘મુજબૂત્વ' માન્યું જ નથી. (કારણ કે કાળમાજન્યત્વ માન્યું છે.) તેથી મૃર્જન્યત્વ અસિદ્ધ છે. તેથી જ મૃદન્યત્વ પણ અસિદ્ધ જ રહે છે. પણ ઉપરોક્ત રીતે મૃદન્યત્વ = જન્યતાસંબંધથી મૃદ્ધભિન્નત આવું નિર્વચન કર્યું માટે, મૃદન્યત્વ અસિદ્ધ નહી રહે. અને વ્યાતિ પણ સિદ્ધ થઈ જશે. પૂર્વપક્ષ :- મુકોને આ બધી મથામણ, ઘટનો એવો સ્વભાવ જ છે કે એ મૃદ્ધતિ છે, માટે એ અવ્યવૃત્તિ નથી. આ રીતે તથાસ્વભાવથી જ તેની નિયતદેશવૃત્તિતાની સંગતિ થઈ જાય છે. એ અમે પૂર્વે કહ્યું જ છે. ઉત્તરપક્ષ :- હા, કહ્યું તો છે જ, પણ તેનાથી તમારા સપના સાકાર નહીં થાય, કારણ કે ફલતઃ ઘટ વગેરેમાં મૃદ્ધતિત્વસ્વભાવત્વની સમાનરૂપે અવ્યવૃત્તિસ્વભાવ જ આપાધ છે. આશય એ છે કે જો સ્વભાવથી જ ઘટ મૂદ્ધત્તિ બની શકતો હોય, તો સ્વભાવથી જ અવ્યવૃત્તિ કેમ નહીં બને ? સ્વભાવ સિવાય
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy