________________
- શર્મસિદ્ધઃप्रयोज्यप्रयोजकभावस्यैव विपक्षबाधकतर्कस्य जागरूकत्वात्, इत्यादिकं विवेचितमध्यात्ममतपरीक्षायां न्यायाचार्यः, तत एवावलोकनीयं विस्तारार्थिनेति । तस्मात् विश्ववैचित्र्यं न कालकृतं किन्तु स्वभावकृतमवगन्तમિનિા
-~~ર્મસિદ્ધિ – प्रवेशाप्रवेशाभ्यां विनिगमनाविरहात्। तथा च तज्जातीयात् कार्यात् तज्जातीयकारणानुमानभङ्गप्रसङ्गः” इत्यपि कालवादो निरस्तः । सादृश्यतिरोहितवैसादृश्येनाङ्कुरादिना तादृशबीजादीनामनुमानसम्भवात्,
આ રીતે કારણમાં એક એક ક્ષણનો પ્રવેશ કરીએ અને કાર્યમાં એક-એક ક્ષણનો અપ્રવેશ કરીએ, અથવા તો કાર્યમાં એકએક ક્ષણનો પ્રવેશ કરીએ અને કારણમાં એક-એક ક્ષણનો અપ્રવેસ કરીએ, તો અનેક કાર્યકારણભાવની પ્રાપ્તિ થશે. અહીં કારણમાં એક-એક ક્ષણનો પ્રવેશ કરાવીને કાર્ય-કારણભાવ માનવો કે કાર્યમાં એક-એક ક્ષણનો પ્રવેશ કરાવી કાર્ય-કારણભાવ માનવો, એમાં કોઈ વિનિગમક નથી. માટે એ રીતે કાર્ય-કારણભાવ ન મનાય, પણ પૂર્વોક્ત રીતે વ્યક્તિવિશેષને અવલંબીને જ કાર્ય-કારણભાવ માનવો પડશે.
પણ એવું માનતા તો તજ્જાતીય કાર્યથી તજ્જાતીય કારણના અનુમાનનો ભંગ થવાની આપત્તિ આવશે.
આશય એ છે કે વ્યક્તિવિશેષને અવલંબીને કાર્યકારણભાવ માન્યો એટલે ઘઉનું બીજ ઘઉના અંકુરનું કારણ નહીં રહે. પણ તીજ તાંકુરનું કારણ બનશે. આમ વિશેષથી કાર્ય-કારણભાવ થશે. પણ લોક તો સામાન્યથી જ કાર્ય-કારણભાવ માને છે. અને સામાન્યથી જ અંકુર માટે બીજમાં પ્રવૃત્તિ કરે છે. ધુમાડાને જોઈને અગ્નિનું અનુમાન કરે છે. તે પણ સામાન્યથી જ હોય છે. તધૂમથી તઅગ્નિનું અનુમાન કોઈ કરતું નથી. પણ હવે એ અનુમાનનો ભંગ થઈ જવાની આપત્તિ આવશે. અથવા તો આખી દુનિયા એ અનુમાનના આધારે વ્યવહાર કરે છે, તેની સંગતિ નહીં થાય. કાળવાદીને પ્રતિવિધાન :
સાદેશ્યથી જેમની વિદેશતા છુપાઈ ગઈ છે એવા અંકુર વગેરેથી તેવા પ્રકારના બીજ વગેરેનું અનુમાન સંભવિત છે.
આશય એ છે કે કાર્યકારણભાવ તો ચરમબીજક્ષણ અને પ્રથમ અંકુરક્ષણ પ્રત્યે જ છે. પણ કાર્યનો અર્થી જે ઘઉના અંકુરરૂપ કાર્યને પ્રત્યક્ષથી થતું જુએ છે, તેના જેવો જ ઘઉનો અંકુર પોતાને જોઈએ છે, તેથી ઘઉના અંકુરના કારણરૂપે ત્યાં જે ઘઉંના બીજને જોયેલ તેના જેવા જ ઘઉંના બીજમાં ઘઉના અંકુરરૂપ કાર્યને અનુકૂળ એવું જે ઘઉ-કુર્ઘદ્ધપત્ય રૂ૫ વૈસાદેશ્ય છે, એ તેને સાદૃશ્યના પ્રતિભાસને કારણે જણાતું નથી. તેથી સદેશ અંકુર ક્ષણાત્મક કાર્યથી સંદેશ બીજ ક્ષણાત્મક કારણનું અનુમાન થવામાં કોઈ બાધા નહીં આવે.
કારણ કે ઉક્ત ક્ષણોમાં અનુગત કાર્યકારણભાવ ન હોવા છતાં પણ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ તો છે જ. અને તેના જ આધારે અંકુરક્ષણો અને બીજક્ષણોના વ્યાય-વ્યાપકમાવની જાણ થઈ જાય છે.
શંકા :- ઉક્ત ક્ષણોમાં જેમ અનુગત કાર્યકારણભાવ નથી, તેમ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ પણ નહીં હોય તો ?
સમાધાન :- ના, કારણ કે અનુગત કાર્ય-કારણભાવ માનીએ તો નિયત સમયની પૂર્વે જ (દ્વિચરમ-બિયરમ બીજક્ષણ દ્વારા જ) બીજથી અંકુરની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવે છે. પણ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ માનવામાં એવી કોઈ બાધા નથી. કારણ કે એવો નિયમ કોઈને માન્ય નથી કે જે જેનો પ્રયોજક હોય, એનાથી એની ઉત્પત્તિમાં વિલંબ ન થાય. માટે નિયત સમય પૂર્વે જ કાર્યોત્પાદ થાય એવી આપત્તિ નહીં રહે. ઈત્યાદિ વિવરણ વ્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મમતપરીક્ષમાં (૪૪ ની ટીકામાં તથા શારાવાર્તા સમુચ્ચય ૨/૬૦ ની ટીકામાં) કર્યું છે,