________________
· कर्मसिद्धिः
२१
निखिलं कालकृतमेव तरेब भावयाम आसपिचुमन्दारयो निखिला अपि वनस्पतयः कालेनैव फलीभवन्ति, न च तमन्तरेण, अन्यथा कथं न फलीभवन्ति ये मधुमासादौ फलप्रदाः ते भाद्रपदादौ, एवं नारकादिनिखिलकार्यजातं भावनीयम् । कालमन्तरेणापि च भवने कार्यजातस्योत्पत्त्यनन्तरमेव लयः स्यात् । स्थितिपरिपाकमन्तरेण च कर्मापि नोदेति । अन्यच्च-कालस्य कर्तृत्वास्वीकारे लघुतरवयस्याः बालाया अप गर्भोत्पत्तिः स्यात्, न च स्त्रीपुंसंयोगरूपकारणाभावात्तदभावः वाच्यम्, केनचित् बालेन सह बालिकायाः तादृक्संयोगस्य दृश्यमानत्वात्,
--
વિશ્વનું સંપૂર્ણ વૈચિત્ર્ય કાળથી જ કરાયેલું છે. તેની જ સ્પષ્ટતા કરીએ છીએ. આંબો, લીમડો વગેરે સર્વ વનસ્પતિઓ કાળે જ ફળે છે. કાળ વિના ફળતી નથી. જો આવું ન હોય તો જે વનસ્પતિઓ વસંતઋતુ વગેરેમાં ફળે છે, તે ભાદરવા મહિના વગેરેમાં કેમ ફળતી નથી ? આ રીતે નારક વગેરે સર્વ કાર્યો પણ સમજવા જોઈએ.
આશય એ છે કે આંબાને ફળ આવે તેમાં કાળ જ કારણ હોય છે. તેમ જીવ નારક, તિર્યંચ વગેરે થાય તેમાં પણ કાળ જ કારણ હોય છે. કર્મને કારણે નરકાદિ ગતિ થાય છે, એવું માનવું ઉચિત નથી. જો કાળ વિના પણ આવું થતું હોય તો ઉત્પત્તિ પછી તરત જ કાર્યનો વિલય થઈ જાય, કારણ કે કાળની કોઈ અપેક્ષા જ નહીં રહે. વળી તમે કર્મને માનો છો, તો ય કાળનું વર્ચસ્વ તો સ્વીકારવું જ પડે છે. કારણ કે સ્થિતિના પરિપાક વિના તો કર્મ પણ ઉદય પામતું નથી.
વળી કાળ કર્તા છે એવું ન માનો તો વધુ નાની બાળકી પણ ગર્ભવતી થઈ શકશે.
-
પૂર્વપક્ષ :- ગર્ભોત્પત્તિનું કારણ છે પુરુષ-સ્ત્રીનો સંયોગ. એ નાની બાળકીમાં નથી. માટે તે ગર્ભવતી થતી નથી. એમાં કાળ
२२
कर्मसिद्धि:
तासंयोगस्य बालक्रीडाप्रयोजकत्वेन न स गर्भात्यत्तिहेतुक इत्यपि नाशङ्कनीयम् कस्याचिया अपि तावयोगत्वेऽपि गर्भाधानादर्शनात् एवमुभय तादृशसंयोगसत्वेऽपि एकस्या गर्भाधानं नान्यस्याः अतस्तत्रापि काल एव हेतुः । किञ्च पराभिमतस्य स्त्रीपुंसंयोगजन्यगर्भजननस्यापि विलम्बे काल एव हेतु:, न च तज्जन्मनि गर्भपरिणतिरेव हेतुरिति वाच्यम्, क्वचिदपरिणतस्यापि गर्भस्य जन्मश्रवणात् । तथा
સાથે કોઈ લેવા દેવા નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે કોઈ બાળક સાથે બાળકીનો તેવો સંયોગ થાય છે એવું દેખાય છે. આમ છતાં તેને ગર્ભોત્પત્તિ થતી નથી.
પૂર્વપક્ષ :- એવો સંયોગ તો બાળક્રીડાથી થાય છે. માટે તે ગર્ભોત્પત્તિનું કારણ બનતો નથી. બાળક્રીડાથી ન થયો હોય તેવો સંયોગ ગર્ભોત્પત્તિનું કારણ બને જ છે. માટે તથાવિધ સંયોગ જ ગર્ભોત્પત્તિનું કારણ છે, કાળ નહીં.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવું પણ દેખાય છે, કે કો'ક યુવતીને તેવો સંયોગ થવા છતાં પણ ગર્ભાધાન થતું નથી. તથા બે સ્ત્રીને તેવો સંયોગ થાય, તો પણ એક જ સ્ત્રીને ગર્ભાધાન થાય છે, બીજીને નહીં. તેમાં પણ કાળ જ હેતુ છે.
અને તમારા મતે ગર્ભોત્પત્તિનું કારણ સ્ત્રીપુરુષસંયોગ જ છે. તો ય તે ગર્ભના જન્મમાં જે વિલંબ થાય છે તેમાં તો કાળ જ હેતુ છે. એવું તમારે માનવું પડશે. એના કરતા પહેલાથી જ કાળને કારણ માની લો ને ?
પૂર્વપક્ષ :- ગર્ભના જન્મમાં તો ગર્ભની પરિણતિ જ હેતુ છે. ગર્ભનું પૂર્ણ ઘડતર થઈ જાય એટલે તેનો જન્મ થાય છે. માટે તેમાં કાળ એ હેતુ નથી.
ઉત્તરપક્ષ :- ક્યારેક અપરિણત ગર્ભનો પણ જન્મ થયો હોય,