________________
૨૧
આત્મા જ્ઞાન ઝરણાએાથી આત્મરૂપ વાડીને વિકસીત કરશે. ધન્ય છે આપને અને સમિતિના કાર્ય કરીને જે સમાજ ઉત્થાન માટે કાઇની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઇ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાસેથી સ પૂર્ણ કાર્ય પુરૂં કરાવશે તેવી આશા છે.
એજ લિ. મરવાળા સ'પ્રદાયના વિદુષી મહાસતીજી મેાંઘીબાઇ સ્વામી ના ક્માનથી લી. ખાડીદાસ ગણેશભાઇ ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ.
*
અદ્યતન પદ્ધતિને અપનાવનાર વડોદરા કોલેજના એક વિદ્વાન પ્રોફેસરના અભિપ્રાય.
પ્રતાપગજ, વડાદરા તા. ૨૭–૨–૧૯૫૬
સ્થાનકવાસી સંપ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જૈનશાસ્ત્રોના સ ંસ્કૃત ટીકાદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતરા કરવાના ઘણા વિકટ કાર્ય માં વ્યાપ્ત થયેલા છે. શાસ્ત્રો પૈકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છે તે હું જોઇ શકયા છું, મુનિશ્રી પોતે સ ંસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમના ટુંકો પરિચય કરતાં સહજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સ'પાદન કરવામાં તેમને પેાતાના, શિષ્યવના અને વિશેષમાં ત્રણ પંડિતાને સહકાર મળ્યું છે, તે જોઇ મને આનંદ થયેા. સ્થાનકવાસી સ*પ્રદાયના અગ્રેસરાએ પડિતાના સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વતા ઘણી ઓછી છે. તે કિંગખર મૂર્તિપૂજક શ્વેતાંખર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતાં હું વિરાધના ભય વગર, કહી શકું. પૂ. મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે. સંસ્કૃત સ્પષ્ટીકરણા સારાં આપવામાં આવ્યાં છે ભાષા શુદ્ધ છે એમ હું ચેાક્કસ કહી શકું છું. ગુજરાતી ભાષાંતરે પણ શુદ્ધ અને સરળ થયેલાં છે. મને વિશ્વાસ છે કે મહારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાંતરને વાચનાલયમાં અને કુટુ એમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે.
કામદાર કેશવલાલ હિંમતરામ,
એમ. એ.