________________
દશવૈકાલિક સૂત્ર વિગેરે સૂત્રો જોયાં તે સૂત્રે સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષા
માં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનને ઘણું જ લાભદાયિક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનોરંજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરુષાર્થ કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રોથી સમાજને ઘણું લાભનું કારણ છે.
હંસ સમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાઓ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે ચપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સુચન કરું છું કે આ સૂત્રે પોતપોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચૂકશો નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રે મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
લી. શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય.
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી સેંઘીબાઈ સ્વામીને અભિપ્રાય.
ધંધુકા તા. ર૭-૧-૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મંગળદાસભાઈ પ્રમુખ અ. ભાટ જે. સ્થાજૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. રાજકેટ.
અત્રે બિરાજતા ગુરુ ગુના ભંડાર મહાસતીજી વિદુષી મેંઘીબાઈ સ્વામી તથા હીરાભાઈ સ્વામી આદિ ઠાણે બને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અસમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશેજી એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂ ભાઈ પિપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્ર તમામ આઘઉપાન વાંચ્યાં મનન કર્યા. અને વિચાર્યા છે તે સૂ સ્થાનકવાસી સમાજને અને વિતરાગ માની ખૂબજ ઉન્નત બનાવનાર છે. તેમાં આપણે શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હંસ સમાન