________________
ܘܕ
સગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયા હતા. અને શ્લા પ્રમાણે એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચત તાર કરવા સૂચના કરી તા. ૨૭-૫-૫૭ ના રાજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યાં.
તા.૨૮-૫-૫૭ના રાજ જવાબ આવ્યે કે શ્રી વિનાદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણુ કરી છે એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરથી એમ. પી, સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પ'ડિતજી પૂર્ણ ચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનેદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેાકલ્યા તા. ૨૮-૫-૫૭ના રાજ રવાના થઇ તા. ૩૦-૫-૫૭ના રોજ સવારે લાદી સ્ટેશને પહેચ્યા. બળદગાડીમાં તેએ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીરેામલજી મહુ રાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમરથમલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચદજી મહારાજ આદિ ઠા. ૪ બિરાજમાન હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવામમાં શ્રી વિનેદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યુ કે “ મેં તેા દીક્ષા અ′ગીકાર કરી લીધી છે તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી. તમે। અમારા વીરાણી કુટુંબના હિતેષી છે. અને જે સાચા હિતેષી હા તે! મારા પૂ મા અને ખાપુજીને સમજાવીને મારી હવે પછીની મેટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દ્યો એટલુ જ નહીં પણુ “ સિર્વ જીવ કરૂં શાસન રસી’'ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હાય કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનુ' નિમિત્ત અને અને મારા માતા-પિતા સદ્ગતિને સાધે અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ.
આવા દેઢ જવાબના પરિણામે તેજ સમયે શ્રી વિનાકુમારને પાછા લઇ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ ની રાત્રીના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનાદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યાં..
થાડા વખતમાં લેાદીના શ્રી સથે પૂ શ્રી લાલચદજી મહારાજને ક્લેાદીમાં ચામાસુ કરવાની વિનંતી કરી તેના અસ્વીકાર થવાથી સંધ ગમગીન બન્યા એટલે નિર્ણય ફેરવ્યે અને અષાઢ શુર્દ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી લેાદી આવ્યા.