________________
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે ફલેદી ચોમાસા દરમ્યાન શ્રી વિનોદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થોભી જાવ એટલે શ્રી વિનેદમુનિએ રજોહરણ વગેરેની પતિલેખના કરી તે દરમ્યાન ન રેકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ કાળની ગહન ગતિને દુઃખદ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાન બનાવ હતે, હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાયો આવી રહી હતી બીજી બાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગતાં છતા પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનોદમુનિનું હૃદય થરથરી ઉઠયુ અને મહા અમુક પાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયને તો બચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે જે વિનોદમુનિને આત્માથી વધારે પ્યાર હતો, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે અને શ્રી વિનોદમુનિએ તે પાછો સંપાદાન કરવામાં જડવાદને સિદ્ધ કરતા રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું. અરિહંત..અરિહંતએવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડ્યું. રક્ત પ્રવાહ છૂટી પડે અને છેડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે. બધા લોકો કહેવા લાગ્યા કે ગૌરક્ષામા મુનિશ્રીએ પ્રાણ આપ્યાં અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી
હંમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફરીથી કિરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલવે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તા પણ છે એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતે વખત ત્યાં ઢોરો રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
ફલેદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકોટ, ટેલીફોનથી આપ્યા. જે વખતે ટેલીફોન આવ્યો તે વખતે વિદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠા હતાં, માત્ર એક નકર જ ઘરમાં હતો કે જેણે ટેલિફેન ઉઠાવ્યા પણ તે કાંઈ ટેલીફેનમાં હકીકત સમજી શક્યો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. પેશ્યલ પ્લેનથી ફલદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે સૂચનાને ટેલીફેન