SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો કર્મનું સર્જન કરવાની તાકાત ધરાવે છે. જ્યારે કષાય વગરનું જીવન કર્મનું વિસર્જન કરવાની તાકાત ધરાવે છે. કષાયો દુર્ગતિનું સર્જન કરે છે જ્યારે કષાય વગરનું જીવન સદ્ગતિનું સર્જન કરે છે. કષાયો સંસારનું સર્જન કરવાની તાકાત ધરાવે છે જ્યારે કષાય વગરનું જીવન સંસારનું વિસર્જન કરવાની તાકાત ધરાવે છે. જયારે કષાયોમાં અશુભ અનુબંધો પાડવાની તાકાત છે. જ્યારે કષાય વગરના જીવનમાં શુભ અનુબંધો પાડવાની તાકાત ધરાવે છે. આમ ધર્મક્રિયા ઘણી કરી, એના કરતાં ધર્મક્રિયા કયા આશયથી કરી એટલે ભૌતિક સામગ્રી માટે ધર્મક્રિયા કરી કે કર્મ નિર્જરા કરવા માટે ધર્મક્રિયા કરી, તે જ રીતે ભાવથી કરી કે યંત્રવત્ કરી, આવું વિચારી ધર્મ, કર્મનિર્જરાના આશયથી શુભ ધ્યાનથી એટલે કે સારા ભાવથી કરીએ તો આપણું આત્મકલ્યાણ થાય. આત્મ ગુણસ્થાનકે ચઢે અને મોક્ષમાર્ગી બને માટે જીવનમાં કષાયો પાતળા પાડવા અત્યંત જરૂરી છે. 112
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy