________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
પરિણામે દર્શનમોહની મંદતા થઈ સમ્યગ્દર્શનની જીવને પ્રાપ્તિ થશે. તેના બળે આગળ વધતાં, કેવળજ્ઞાનને પામી શાશ્વત સુખરૂપ એવા મોક્ષને પામશે. એ અનુક્રમને ઉલંઘવાથી જીવ જ્ઞાની નામ ઘરાવીને પણ સંસારમાં જ રઝળે છે. Ir૪૪ો.
દેવાદિકને માન્યા વિના તત્ત્વાદિક વિચારીજી,
બુદ્ધિથી બહુ બકતો ફરતો યશ-થનનો ભિખારીજી. સૂક્ષ્મ અર્થ :- સદેવગુરુઘર્મની આજ્ઞાને માન્ય કર્યા વિના સ્વમતિકલ્પનાએ તત્ત્વોનો વિચાર કરી, પોતાની બુદ્ધિ અનુસાર અર્થ કરીને અજ્ઞાની જીવ માનનો કે ઘનનો ભિખારી બની બહુ બકતો ફરે છે, તે કલ્યાણનો માર્ગ નથી.
“જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) II૪પાા
તત્ત્વ-વિચારે ચિત્ત ન રાખે, સ્વપર-વિવેકી માનીજી;
સ્વપર-ભેદ યથાર્થ નથી, તો ય માને આત્મ-જ્ઞાનીજી. સૂક્ષ્મ અર્થ :- આત્મતત્ત્વ વિચારમાં જેનું ચિત્ત નથી. છતાં પોતાનું શું? અને પર શું? તેનું અમને ભાન છે એમ પોતાને વિવેકી માને છે. પણ તેનો માનેલો દેહ અને આત્માનો સ્વપર-ભેદ તે યથાર્થ નથી. તો પણ દર્શનમોહની બળવત્તરતાને લઈને પોતાને આત્મજ્ઞાની માને છે અને મનાવે છે. એવા જીવો દયાને પાત્ર છે. કેમકે પોતે બૂડી બીજાને પણ બુડાડે છે.
એ સૌ ચતુરાઈની વાતો માનાદિક વઘારેજી,
હિતઇચ્છકને કાર્યકર નહિ, ભવે ભ્રમણ વિસ્તારેજી. સૂક્ષ્મ અર્થ :- એ સૌ ચતુરાઈની વાતો માત્ર માનાદિ કષાયોને વઘારનાર છે. આત્મહિત ઇચ્છુકને તે આત્મકાર્ય સિદ્ધ કરાવનાર નથી; પણ સંસારમાં અનંત પરિભ્રમણને વિસ્તારનાર છે. II૪શા
અપક્ષપાતે દોષ દેખી નિજ, મુમુક્ષતા જીંવ ઘારેજી,
તો સગુરુની ભક્તિ તેને ભવ-જળ-પાર ઉતારેજી. સૂક્ષ્મ અર્થ :- અપક્ષપાતપણે પોતાનો દોષ દેખી સાચી મુમુક્ષતાને જીવ ઘારણ કરશે તો પરમકૃપાળુ સદ્ગુરુદેવની ભક્તિ તેને સંસારરૂપી સમુદ્રના અગા જળથી જરૂર પાર ઉતારશે, એમાં કિંચિત માત્ર સંશય નથી. ૪૮.
આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ થયા પછી જીવ યથાર્થ રીતે મુનિચર્યારૂપ સમિતિગતિને પાળી શકે છે. સમિતિ પાંચ પ્રકારની છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત અને પારિષ્ઠાપનિકા સમિતિ. ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિને શરીરાદિ કારણે પ્રવર્તવું પડે ત્યારે આ પાંચ સમિતિપૂર્વક પ્રવર્તે છે. તથા મનવચનકાયાની પાપ પ્રવૃત્તિને રોકી ત્રણેય યોગને સ્થિર કરવા તે ગુપ્તિ છે. “આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુતિ છે.” સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુતિ નિવૃત્તિરૂપ છે. એ સંબંધીનું વિવરણ હવે આ પાઠમાં કરે છે :