________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :—
ભગવાને કહેલા ઉપદેશોને સાચા ભાવથી વિચારીને ગ્રહણ કરી સર્વે સદાચારનું સેવન કરો. તથા રાગદ્વેષના ભાવોને ઘટાડવાનો જ નિરંતર લક્ષ રાખવા યોગ્ય છે. ।।૩૮।
૨૭૮
જ્ઞાનીની આજ્ઞાએ, અથવા કરી પરીક્ષા ઘારોજી સ્વરૂપ સુદેવ-સુથર્મ-સુગુરુનું; ગ્રહીત મિથ્યાત્વ વારોજી. સૂક્ષ્મ
અર્થ :— જ્ઞાનીની આજ્ઞાએ તે રાગદ્વેષ કેમ ઘટે તે પ્રમાણે વર્તન કરવું. પણ “જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.” (વ.પૃ.૩૮૨)
માટે સદૈવ, સધર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ શું છે? તેની પરીક્ષા કરી સદ્ગુરુરુને ધારણ કરવા. અને પૂર્વે ગ્રહણ કરેલી મિથ્યા માન્યતાનો ત્યાગ કરી શ્રદ્ધાને નિર્મળ કરવી. એ જ આત્માના કલ્યાણ માટે પરમ હિતકારી ઔષધ છે. ૫૩૯ના
કુસંગ તજી સત્સંગે ભાજો જિન-કથિત જીવાદિજી,
તત્ત્વપ્રતીતિ એ અભ્યાસે થતાં, વિચાર-પ્રસાદીજી. સૂક્ષ્મ
અર્થ :— કુદેવ, કુગુરુ અને કુધર્મનો કુસંગ તજી સત્સંગે જિનેશ્વર ભગવંતના ઉપદેશેલા જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરો. જેથી જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા થશે અને તે સંબંધી વિચાર કરવાની શક્તિ પ્રગટશે. ।।૪૦।
વિચાર કર્યા કરતાં સ્વપરનો ભેદ ભાસવા
લાગેજી,
પોતાનો આત્મા ઓળખવા સ્વરૂપવિચા૨ે જાગેજી. સૂક્ષ્મ
અર્થ :— આમ જડ ચેતનનો વિચાર કરવાથી તેમાં સ્વ શું અને પર શું છે? તેનો સ્પષ્ટ ભેદ ભાસવા લાગશે. અને પોતાનો આત્મા ઓળખવા માટે આવા સ્વરૂપ વિચારથી તે જાગૃત થશે. ।।૪૧૫ આત્માનુભવની પ્રાપ્તિનો આ ક્રમ ઉત્તમ ઘારોજી,
કી દેવાદિ, કદી તત્ત્વો કે આત્મ-સ્વરૂપ વિચારોજી. સૂક્ષ્મ
અર્થ :– આત્મઅનુભવ કરવાનો આ ઉત્તમ ક્રમ છે એમ માની તેને ઘારણ કરો. તે માટે કદી દેવગુરુ ધર્મ વિષે કે કદી સાત તત્ત્વો વિષે અધવા આત્મસ્વરૂપ વિષેનો વિચાર કરવો યોગ્ય છે. ।।૪૨। દર્શન-મોહની થશે મંદતા, સમ્યગ્દર્શન પ્રગટેજી,
ભવ્ય જીવ આવા અભ્યાસે આવે મુક્તિની નિકટેજી. સૂક્ષ્મ
અર્થ :– દેહથી આત્મા ભિન્ન છે એમ વિચાર કરતાં દર્શનમોતનીય કર્મની મંદતા ધશે અને સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ થશે. ભવ્ય જીવો આવા પ્રકારનો અભ્યાસ કરવાથી મુક્તિની નિકટતાને પામે છે. ૫૪૩।।
એવા અનુક્રમથી સાથે તો, મોક્ષમાર્ગ જૈવ પામેજી,
એ અનુક્રમ ઉલ્લંઘે તે જીંવ રખડે જ્ઞાની-નામેજી. સૂક્ષ્મ
અર્થ :— ઉપર કહેલા અનુક્રમથી જીવ સાધના કરશે તો જરૂર મોક્ષમાર્ગને પામશે. સંક્ષેપમાં તે ક્રમ આ પ્રમાણે છે કે સૌથી પહેલા સદ્ગુરુની શોધ કરી તેમની આજ્ઞા માન્ય કરવી. જેથી સાચા દેવગુરુ ઘર્મની શ્રદ્ધા થશે. અને ગ્રહિત મિથ્યાત્વનો નાશ થશે. તેથી કુગુરુ, કુદેવ અને કુધર્મનો સંગ છૂટી જશે. પછી સાત તત્ત્વોનો અભ્યાસ કરવો. જીવાદિ તત્ત્વોનો વિચાર કરતાં સ્વપર ભેદ ભાસવા લાગશે. તેના