SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સારભૂત શું છે? તો કે શુદ્ધાત્મા. હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે? તો કે રાગદ્વેષને અજ્ઞાન. શેય એટલે જાણવા યોગ્ય શું છે? તો કે પરને પરરૂપે અને સ્વને સ્વરૂપે જાણવા યોગ્ય છે. ગ્રહણ શું કરવું જોઈએ? તો કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વગેરે તથા આત્મતત્ત્વની શ્રદ્ધા થવા ફરી ફરી પ્રશ્ન પૂછીને પણ શંકાનું નિવારણ કરી લેવું જોઈએ. /૧૩ તો જ નિઃશંક તે ગુરુ-કૃપાથી થશે, ભાવ જીવાદિના ઉર ભાસે; જેમ દેહાદિમાં છે અહંભાવના, તેમ આત્મા વિષે ભાવ થાશે. આજ૦ ૧૪ અર્થ :- પોતાની યોગ્યતા વધતા ગુરુકૃપા થશે, તેથી નિઃશંકતાને પામશે અને જીવ અજીવાદિ તત્ત્વોના ભાવ હૃદયમાં સમજાશે. પછી જેમ દેહાદિમાં અહંભાવના એટલે પોતાપણાની ભાવના છે તેમ આત્મામાં પોતાપણાની ભાવના થશે; અર્થાત્ હું આત્મા છું પણ દેહ નહીં એમ દૃઢ શ્રદ્ધાન થશે. ૧૪મા તત્ત્વ-વિચારણાથી સુદર્શન થશે, યોગ્યતા વા લઈ જાય સાથે, તો થશે પરભવે એ જ સંસ્કારથી સત્ય દર્શન, વિના બોઘ લાધ્યું. આજ૦૧૫ અર્થ :- પછી આત્માદિ તત્ત્વોની વિચારણા પ્રગટ્ય જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. અથવા સમ્યક્દર્શન પામવા માટે મેળવેલી યોગ્યતાને પરભવમાં સાથે લઈ જશે. ત્યાં પરભવમાં પૂર્વભવના સંસ્કારથી વગર બોઘ મળે પણ સત્ય આત્મદર્શન થઈ શકશે. જેમ કરકુંડ, નગતિ, નમિરાજર્ષિ અને વિમુખને તે ભવમાં કોઈ ગુરુ ન હોવા છતાં અલ્પનિમિત્ત માત્રથી પૂર્વ સંસ્કાર જાગૃત થઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તેમ. ૧૫ તત્ત્વ-અભ્યાસથી કર્મ-મિથ્યાત્વનો રસ ઘટે, સર્વ જ્યાં દૂર થાશે, જેમ વાદળ ખસ્ય સૂર્ય દેખાય છે, તેમ સમ્યકત્વ-ભાનુ પ્રકાશે. આજ૦૧૬ અર્થ :- સાત તત્ત્વમાં મુખ્યત્વે આત્મતત્ત્વના અભ્યાસથી મિથ્યાત્વ એટલે દર્શનમોહનીય કર્મનો રસ ઘટે છે. તે ઘટવાથી સર્વકર્મ દૂર થવા લાગે છે. જેમ વાદળા ખસવાથી સૂર્ય દેખાય છે તેમ મિથ્યાત્વરૂપી વાદળા દૂર થતાં સમ્યગ્દર્શનરૂપ ભાનું એટલે સૂર્યનો પ્રકાશ પ્રગટ જણાય છે. ૧૬ાા. ઘર્મ તે નહિ કરે લોક સંતોષવા, પૂછશે આટલું જીવને એ : મુક્તિની એક ઇચ્છા રહે જો ઉરે, મૂક સંકલ્પ-વિકલ્પને, રે! આજ૦૧૭ અર્થ:- સમ્યક્દર્શન થયા પછી લોકોને સારું દેખાડવા તે ઘર્મ કરશે નહીં. પણ પોતાના આત્માને આટલું પૂછશે કે હે જીવ “જો તું મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક' અને કેવળજ્ઞાન પ્રગટાવ. “કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાઘા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) I/૧૭ના રાગ આદિ વિકલ્પો તને મૂકતાં, હોય બાઘા જરા તો કહી દે, એમ સમજાવતાં જીવ માની જશે, હિત જાણી સદા તે મેંકી દે. આજ ૧૮ અર્થ :- રાગ-દ્વેષ આદિ વિકલ્પોને મૂકવામાં તને કોઈ બાઘા હોય તો કહે. એમ મનને સમજાવતાં
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy