SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૯ જીવ માની જશે, અને રાગદ્વેષાદિ મૂકવામાં જ મારું હિત છે એમ જાણી સદાને માટે મૂકી દેશે. /૧૮ રાગ આદિ રહિત જ્યાંર્થી ત્યાંથી થવું એ સનાતન મહા ઘર્મ માનો, પ્રાપ્ત સંયોગમાં ભાવ સમતા તણો સાથવો એ જ ઉપદેશ જાણો. આજ૦૧૯ અર્થ - જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ આત્માનો સનાતન મહાઘર્મ માનો. જેવા સંયોગ આવી મળે તે પ્રાપ્ત સંયોગોમાં સમભાવ રાખવાનો પ્રયત્ન કરવો એ જ સર્વ જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે એમ જાણો. જેમ નાભા ભગતની ઝૂંપડી પાસે ચોરે માલ દાટી દીઘો. ભગતને ચોર જાણી માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે. એમ સર્વ સંજોગમાં સમતાભાવ સાધવાનો જ ભગવાનનો ઉપદેશ છે. ||૧૯ાા સર્વ ક્રિયા કરી, દાન શીલ આચરી, આટલું સાઘવું છે, વિચારો : સહજ સમભાવ તે નિજ રૃપ જાણીને, સાચવી રાખવું જŠર ઘારો. આજ૦૨૦ અર્થ :- સર્વ જપ તપાદિની ક્રિયા કરીને કે દાન, શીલ, ભાવ આદિનું આચરણ કરીને આટલું સાધ્ય કરવું છે કે જીવને સર્વ દશામાં સહજ સમભાવ રહે. કારણકે સમભાવ એ આત્માનું સ્વરૂપ છે; આત્માને રહેવાનું ઘર છે. માટે સમભાવને જરૂર સાચવી રાખવો છે એમ મનમાં નિશ્ચય કરો; જેથી આત્માને પોતાના સનાતન ઘર્મની પ્રાપ્તિ થાય. ૨૦ આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મ-હિતકારી સમતા ન ચૂકો, લક્ષ જો છૂટવાનો ઉરે આદરો તો ઉદાસીનતા કદ ન મૂકો. આજ૦૨૧ અર્થ :- આથિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક રોગ અને ઉપાધિ એટલે વ્યાપાર વ્યવહાર કુટુંબ વગેરેની ઉપાધિ પૂર્વ કર્માનુસાર ઘણી આવશે. પણ તેમાં આત્માને કલ્યાણ કરનારી એવી સમતાને કદી ચૂકશો નહીં. સમતાભાવ વર્તમાનમાં સુખ આપનાર છે અને નવીન કર્મબંઘને રોકનાર હોવાથી પરભવમાં પણ જીવને સુખનું કારણ થાય છે. માટે સંસારથી છૂટવાનો લક્ષ ખરેખર હૃદયમાં છે તો ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ, અનાસક્તભાવને કદી મૂકશો નહીં. એ વડે સમભાવની સિદ્ધિ થશે. “ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ.” -શ્રીમદ્ રાજચંદ્ર //ર૧|| સર્વ દર્શન તણો, સર્વ શાસ્ત્રો તણો, સાર આ જાણી એને ઉપાસો; હૃદયપલટો થયે વાત ઑવ માનશે, માન્યતા સત્ય ત્યાં ઘર્મ-વાસો. આજ૦૨૨ અર્થ - સર્વ દર્શન એટલે ઘર્મનો, સર્વ શાસ્ત્રનો સાર સમતાભાવને જાણી એની ઉપાસના કરો. સમભાવની વાત જ્યારે હૃદયમાં બરાબર સમજાશે ત્યારે જીવ તેને માન્ય કરશે. જ્યારે ખરેખર સત્ય માન્યતા થશે ત્યારે આત્મસ્વભાવરૂપ ઘર્મ જીવમાં પ્રગટશે. 1રરા ભૂલ ગુરુમાં કરી, દેવ-ઘર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્ગ-આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૦ ૨૩ અર્થ – ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy