SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨ ૫૭ ઉપકાર સદ્ગ તણો વિવેક ના વિસારતા, તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભો થતા. ૪૦ અર્થ – વિનાશી અને આત્માથી પર એવા પૌદ્ગલિક પદાર્થો નિમિત્તે શો હર્ષ કરવો? કે શોક કરવો? એમ વિચારતાં, વિવેકી પુરુષોને સ્વસ્વરૂપને વિષે જ સર્વ ગુણોની પૂર્ણતા અને શુદ્ધતા જણાય છે. આ બધી સમ્યક્ સમજણ આપનાર એવા સદ્ગુરુ ભગવંતનો ઉપકાર તે વિવેકીજનો કદી ભૂલતા નથી. તે સદ્ગુરુની ભક્તિથી જ સમ્યક્દર્શન આદિ સર્વ લાભો પ્રાપ્ત થાય છે, એમ દૃઢપણે માનવું. I૪૦ના છ પદનો નિશ્ચય થયે જીવને મોક્ષમાર્ગ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે મોક્ષમાર્ગમાં કયા કયા પ્રકારના વિદ્ગો નડે છે, અને તેને કેમ દૂર કરવાં કે જેથી મોક્ષમાર્ગ અવિરોઘ થાય; તે આ પાઠમાં જણાવવામાં આવે છે – (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા (લાવણી. હે! નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો–એ રાગ) શ્રી રાજચંદ્ર પ્રભુ-ચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોઘપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ૧ અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવપૂર્વક મસ્તક નમાવીને પ્રણામ કરું છું. તેમની ભક્તિ કરવાનું હું કદી ચૂકું નહીં. કારણ વર્તમાન કળિકાળમાં મૂળ મોક્ષમાર્ગ ભુલાઈ ગયો તેને આપે અવિરોઘપણે એટલે સ્યાદ્વાદપૂર્વક સમજાવીને અમારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. /૧ જન “ઘર્મ, ઘર્મ કહીં કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષમૂર્તિ સમ સદ્ગુરુ મળતાં અટકે, મહા પુણ્ય યોગથી એવા સગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષમાર્ગ જન કળતા. ૨ અર્થ:- લોકો “ઘર્મ ઘર્મ' કહી, ઘર્મને નામે કર્મ ઉપાર્જન કરીને સંસારમાં ભટકે છે. આત્મપ્રાપ્તિના લક્ષ વગરની ક્રિયામાં જીવે ઘર્મ માન્યો છે. પણ ઘર્મનો મર્મ શું છે તેને જાણતા નથી. “ઘર્મ ઘર્મ કરતો જગ સહુ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ જિનેસર.” -શ્રી આનંદઘનજી છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” -શ્રીમદ્ રાજચંદ્ર ““ઘર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોઘન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮) “સાપ ઘમો માળ, તવો’ | આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. આચારાંગ સૂત્ર (વ.પૃ.૨૬૦) મોક્ષની મૂર્તિ સમાન સદગુરુ ભગવંતનો જો પૂર્વકત કર્માનુસાર ભેટો થઈ જાય તો જીવ નવીન કર્મ
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy