SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૨૭ અર્થ :— સમ્યજ્ઞાન વિના આ બધું ટકી શકશે નહીં. માટે જ્ઞાનીપુરુષની શોધ કરું. એ શોધ કરતાં સંતપુરુષોનો સમાગમ થયો. અને હું સદ્ગુરુનો બોધ પામી ગયો. ।।૩૫।। સત્ય યથાર્થ ઉરે વસ્યું, લાગ્યું નકલી સર્વ, માયિક સૌ પ્રપંચમાં સુખ ગણ્યું તે વ્યર્થ. ૩૬ અર્થ :— યથાર્થ સત્ય જે હતું તે હૃદયમાં વસવાથી બીજું બધું નકલી ભાસ્યું. માયિક એટલે સાંસારિક સૌ પ્રપંચમાં જે સુખ ગણ્યું હતું તે સર્વ વ્યર્થ લાગ્યું. ।।૩૬।। આત્મિક સુખ સ્વાધીન ને શાશ્વત, સાચું શ્રેય, તે ભૂલી નશ્વર સુખે ભમવું તે અશ્રેય. ૩૭ અર્થ :— આત્માનું સુખ તે સ્વાધીન અને શાશ્વત, સાચું અને શ્રેયરૂપ ભાસ્યું. તેને ભૂલી નાશવંત - એવા ભૌતિક સુખ પાછળ ભટકવું તે આત્માને અશ્રેય એટલે અકલ્યાણકર્તા જણાયું. ।।૩૭।। એમ ગણી મુનિ હૈં બન્યો, તજી સર્વ જંજાળ, વિના પ્રયત્ને દેખ આ પશુનાં હૃદય વિશાળ. ૩૮ અર્થ :— એમ ગણીને જગતની સર્વ જંજાળને તજી હું મુનિ બની ગયો. આ મુનિ જીવનના પ્રભાવથી વિના પ્રયત્ને આ પશુઓના હૃદય પણ દયાભાવથી વિશાળ બની ગયા છે. તે તું આ જોઈ લે. તને પણ આ પશુઓ દયાભાવથી અહી હરી લાવ્યા છે. ।।૩૮।। હરણ તને હરી લાવિયું, નાગ કરે ઉપદેશ, સિંહ બન્યો બકરી સમો, જાતિ-સ્મૃતિ-ફળ-લેશ. ૩૯ અર્થ :– આ હરણ દયાભાવથી તને અહીં હરી લાવ્યું, નાગદેવે તને ઉપદેશ કર્યો, સિંહ બકરી જેવો બની ગયો. અમારા ઉપદેશથી આ સર્વને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તેનું આ કિંચિત્ ફળ જણાય છે. ।।૩૯|| અચિંત્ય આત્મિક યોગ આ, જગ-જંતુ-તિકાર, હવે કહું નવ તત્ત્વ હું, તે તું ચિત્તે ધાર. ૪૦ અર્થ :— જે ચિંતવી પણ ન શકાય એવો અચિંત્ય આત્મિક સુખ પ્રાપ્તિનો યોગ આ તને બન્યો છે, = જે જગતના સર્વ જંતુને હિતકર્તા છે. હવે હું તને નવ તત્ત્વ કહું છું, તે તું ચિત્તમાં ધારણ કર. ।।૪૦। મેં તત્ત્વો જે દાખવ્યાં, ધર્મ-પ્રભાવી તેમ, મોક્ષ-મૂળ તત્ત્વો કર્યું, કહ્યાં પ્રભુએ જેહ – ૪૧ અર્થ :— શ્રી મુનિવર રાજાને કહે છે કે મેં જે અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, દેવભક્તિ, નિસ્વાર્થી ગુરુ, કર્મ અને સમ્યગ્દષ્ટિ એ નવ તત્ત્વો દર્શાવ્યા તે ધર્મની પ્રભાવના કરવાવાળા છે. હવે હું તને ભગવાને મોક્ષપ્રાપ્તિ અર્થે આવશ્યક મૂળ તત્ત્વો દર્શાવ્યા તે કહું છું. ૪૧|| આત્મા ઉત્તમ તત્ત્વ છે, તેમાં સર્વ સમાય, આત્મા જો જાણ્યો નથી, જ્ઞાન નિરર્થક થાય. ૪૨ અર્થ :— તે સર્વે તત્ત્વોમાં આત્મા એ ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ તત્ત્વો સમાય છે. જેણે આત્મા = જાણ્યો તેણે સર્વ જાણ્યું.' જો આત્મા જાણ્યો નથી તો બીજું જાણેલું સર્વ જ્ઞાન નિરર્થક થાય છે. ।।૪૨।
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy