________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨ ૧ ૫
સમજણની ભૂલ છે. જો ઈશ્વર દોષની ક્ષમા કરે તો પોતે જ સર્વ દોષનું સ્થાન ઠરે છે. IT૪રા
રાગી, દ્વેષી તે ઠરે, ભક્ત-દોષ ના જાય,
વર્તે બેદરકારીથી, દોષ માફ જો થાય-૪૩ અર્થ :- ઈશ્વર સ્વયં રાગી દ્વેષી ઠરે છે. તેથી ભક્તના પણ રાગદ્વેષ જાય નહીં. જો કરેલા દોષો ઈશ્વર માફ કરતા હોય તો સર્વ બેદરકારીથી વર્તન કરશે. ૪૩ાા
પરમેશ્વર તે દોષનું કારણ ગણવા યોગ્ય,
એવા ઈશ્વર માનવા મુમુક્ષુને અયોગ્ય. ૪૪ અર્થ - જો સર્વ બેદરકારીથી વર્તન કરશે તો સર્વ દોષનું કારણ પરમેશ્વર બનશે. એવાને ઈશ્વર માનવા તે મુમુક્ષુ જીવને અયોગ્ય છે. ૪૪
ફળ કર્માનુસાર” એ ખરેખરો સિદ્ધાંત,
સર્વશે દર્શાવિયો, કરવા જીંવ નિર્કાન્ત. ૪૫ અર્થ :- જૈનોનો સિદ્ધાંત કર્માનુસાર ફળ પ્રાપ્તિનો છે. તે જ ખરેખરો છે. શ્રી સર્વજ્ઞ ભગવંતોએ આ સિદ્ધાંત જીવોને નિર્કાન્ત એટલે ભ્રાન્તિરહિત કરવા માટે દર્શાવ્યો છે. IT૪પાા
નિજ પ્રશંસા ના ચહે, ચહે નહીં તે માન,
સત્ય હતું તેવું કહ્યું, તજી કીર્તિ-નિદાન. ૪૬ અર્થ :- શ્રી જિનેશ્વરો પોતાની પ્રશંસાને ઇચ્છતા નથી. તેમજ માન મોટાઈને પણ ઇચ્છતા નથી. પોતાની કીર્તિનું કારણ મૂકી દઈ જે સત્ય હતું તેવું જ કહ્યું છે. //૪૬ાા
સ્વાર્થ ન શોધ્યો ઘર્મને ફેલાવી જગમાંય,
મોહરહિત જિન તો કહે : કર્મ મને નડતાંય. ૪૭ અર્થ :- જગતમાં ઘર્મને ફેલાવી ક્યાંય પોતાનો સ્વાર્થ ગબડાવ્યો નથી. મોહરહિત એવા જિન તો એમ કહે છે કે મને પણ કરેલા કર્મો નડે છે, અર્થાત ભોગવવા પડે છે. II૪શા
કર્યા કર્મ સો ભોગવે, દર્શાવ્યો નિજ દોષ -
“ઋષભદેવ પાસે જઈ ભરત પૂંછે નિર્દોષઃ ૪૮ અર્થ :- કરેલા કમ સર્વ પ્રાણીઓને ભોગવવા પડે છે એમ કહી પોતાનો થયેલ દોષ પણ દર્શાવ્યો. શ્રી ઋષભદેવ પાસે જઈને ભરતેશ્વર નિર્દોષપણે પૂછે છે – ૪૮.
હવે આપણા વંશમાં થશે કોઈ જિનનાથ?
“હા” ઋષભદેવે કહી, કરી વિસ્તારે વાત : ૪૯ અર્થ - હવે આપણા વંશમાં કોઈ જિનનાથ એટલે તીર્થકર થશે? ત્યારે શ્રી 28ષભદેવે વિસ્તારથી વાત કરીને ‘હા’ કહી. ||૪૯ાા
‘ત્રિદંડી તુજ પુત્ર જે મરીચિ બેઠો વ્હાર, વર્તમાન ચોવીસમાં છેલ્લો જિન થનાર.” ૫૦