________________
૨ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિઃસ્વાર્થી ગુરુ ઘારવા, એ પણ મોટી વાત,
ખરેખરી લાગે મને અનુભવથી સાક્ષાત. ૩૫ અર્થ - જેને કોઈપણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ઘારણ કરવા જોઈએ. એ પણ મોટી વાત છે. મને તો અનુભવથી આ વાત ખરેખરી સાક્ષાત લાગે છે. રૂપા
સ્વાર્થ જેટલો હોય છે, ઘર્મ તેટલો જૂન;
ન્યૂન વૈરાગ્ય તેટલો; નિઃસ્વાર્થી ગુરુ પૂર્ણ. ૩૬ અર્થ :- “જેટલો સ્વાર્થ હોય તેટલો ઘર્મ અને વૈરાગ્ય ઓછો હોય : માટે નિઃસ્વાર્થી ગુરુ જ પરિપૂર્ણ કહેવાય છે. ૩૬ાા.
ચપર્ટી ય ચોખા ના ગ્રહે, ન સંઘરે ઘી-ખાંડ,
જૈન સાધુ-પદ આકરું, મળે પેટભર માંડ. ૩૭ અર્થ – સાધુપુરુષોને ચપટી ચોખા ગ્રહણ કરવાનો કે ઘી-ખાંડ સંઘરવાનો ઉપદેશ નથી. જૈનનું સાધુપણું આકરું છે. વખતે પેટભર પણ માંડ મળે. ૩ળા
સ્વાર્થીપણું પોપ્યું નથી, જિનેશ્વરે જરાય,
જિન-ઘર્મ-ગુરુ-આશ્રયે ભવજળ તુર્ત તરાય. ૩૮ અર્થ :- શ્રી જિનેશ્વરોએ જરાય સ્વાર્થીપણાને પોષણ આપ્યું નથી. એવા જૈનના ઘર્મગુરુના આશ્રયે ભવજળ શીધ્ર તરી શકાય છે. ll૩૮.
જહાજ તારે પથ્થરો, તેમ શિષ્ય તરી જાય,
સગુરુના ઉપદેશથી; સંશય કેમ કરાય? ૩૯ અર્થ - જેમ જહાજ પત્થરને પણ તારે, તેમ પત્થર જેવો શિષ્ય પણ સદગુરુના ઉપદેશથી તરી જાય છે. તેમાં શંકા કરવાને કોઈ સ્થાન નથી. ૩૯
‘કર્મ તણો સિદ્ધાંત તો જિનનો અહો! અપૂર્વ,
સુખ-દુખ-જન્મ-જરાદિ આ કર્માધીન જ સર્વ. ૪૦ અર્થ:- શ્રી જિનનો કર્મનો સિદ્ધાંત તો અહો! અપૂર્વ છે. સુખ-દુઃખ કે જન્મ-જરાદિ એ સઘળું કર્મને જ આધીન છે. ૪૦ના
જેવાં કર્મ કર્યા કરે, ફળ તેવાં લણતો ય,
અનાદિ જીંવ-પુરુષાર્થ આ; નિયમ અનુપમ જોય. ૪૧ અર્થ:- ‘જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્થે આવે છે તેવા ફળો પામતો જાય છે. અનાદિકાળથી કર્મ કરવાનો જીવનો પુરુષાર્થ ચાલ્યો આવે છે. આ નિયમ પણ જૈનનો અનુપમ છે. //૪૧
કોઈ કહે અપરાઘની ક્ષમા કરે ભગવાન,
પણ સમજણની ભૂલ એ; ઠરે દોષનું સ્થાન. ૪૨ અર્થ - કોઈ કહે છે કે ભગવાન અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પણ તે તેમના