________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
૨ ૧ ૩
નહીં, જેમ જન્મથી આંધળાને દિનેશ એટલે સૂર્યનું ભાન થાય નહીં તેમ. રા.
સુદેવ-ભક્તિ-બોઘ ના જેવો તેવો કાંઈ;
વિરક્ત થઈ સંસારથી, સુથર્મ સાથ્થો જ્યાંય. ૨૮ અર્થ :- સુદેવની ભક્તિ કરવાનો બોઘ પણ તેમનો જેવો તેવો નથી. તેમણે કેવળ સંસારથી વિરક્ત થઈ સમ્યક્ આત્મઘર્મને પરિપૂર્ણ સાધ્ય કર્યો છે તે સુદેવ. ૨૮.
અખંડ મુક્તિ જે વર્યા, તેની ભક્તિ સુખદાય
થાય ભાવિક ભક્તને; સંશય કેમ કરાય? ૨૯ અર્થ :- જે અખંડ પણે મુક્તિમાં બિરાજમાન થયા છે તેમની ભક્તિ ભાવિક ભક્તને જરૂર સુખદાયક થાય. એમાં કંઈ સંશય કરવા જેવું નથી. /૨૯ો
સહજ ભક્તિના ગુણથી ભવ-બંઘન દુખ જાય,
વીતરાગ ભજનારને વીતરાગતા થાય. ૩૦ અર્થ - એમ ભક્તિના સ્વાભાવિક ગુણથી આપણા ભવબંઘનના દુઃખ નાશ પામે છે. કારણ કે વીતરાગને જે ભજે તે વીતરાગતાને પામે છે. ૩૦ના
અગ્નિમાં છે ઉષ્ણતા સહજ સ્વભાવે જેમ,
રાગ-દ્વેષ-રહિતતા સહજ સુદેવે તેમ. ૩૧ અર્થ:- અગ્નિમાં સહજ સ્વભાવે ઉષ્ણપણું છે. તેમ સુદેવમાં સહજ સ્વભાવે રાગદ્વેષરહિતપણું છે. //૩૧ાા
તોપણ તેની ભક્તિથી ભક્તોને ગુણ થાય,
સૂર્ય-ઉદયથી સર્વને નિજ નિજ પંથ જણાય. ૩૨ અર્થ :- તો પણ તે જિનેશ્વરની ભક્તિ ભક્તોને ગુણ આપનાર નીવડે છે. જેમ સૂર્યના ઉદયથી સર્વને પોત પોતાનો માર્ગ દેખાય છે તેમ. /૩રા
જે દેવો દે ડૂબકાં જન્મ-મરણ-જળમાંય,
તે શું તારે અન્યને? પથ્થર તારે ક્યાંય? ૩૩ અર્થ :- જે પોતાને દેવો કહેવરાવે અને જન્મમરણરૂપી જળમાં ડૂબકાં મારતા હોય તે જીવો અન્યને શું તારી શકે? પત્થરની નાવ ક્યારેય કોઈને તારી શકે? ૩૩ાા.
સુદેવ-ભક્તિ-બોઘ આ માન્ય રાખવા યોગ્ય,
દ્રઢ હૃદયે ઉપાસતાં બને શિવ જીંવ-ભોગ્ય. ૩૪ અર્થ :- આ સતદેવની ભક્તિનો ઉપદેશ માન્ય રાખવા યોગ્ય છે. તેની ઉપાસના દ્રઢ હૃદયે કરતો જીવ શિવ એટલે મોક્ષનો ભોક્તા થાય છે. ૩૪