________________
૨૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - ત્રિદંડી સંન્યાસીનો વેષ ઘારી તારો પુત્ર મરીચિ જે સમવસરણની બહાર બેઠો છે તે વર્તમાન ચોવીસીમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. આપણા
વિનય સહિત વંદન કરી, ગયા ભરત અધિરાજ
ત્રિદંડીને વંદન કર્યું, કહી “ભાવિ જિનરાજ.” ૫૧ અર્થ :- પછી વિનયસહિત ભગવાનને વંદન કરીને ભરતેશ્વર રાજાધિરાજ ત્યાં ગયા અને ત્રિદંડીને ભાવિ જિનરાજ થવાનું વૃત્તાંત જણાવી વંદન કર્યું. ૫૧
પ્રફુલ્લિત થઈ મરીચિએ ગર્વ કર્યો તે વારઃ
“કેમ ન તીર્થકર બનું? મુજ દાદા જિન-સાર. પર અર્થ - તેથી ત્રિદંડીનું મન પ્રફુલ્લિત થયું અને અહંકાર આવી ગયો કે હું તીર્થકર કેમ ન બનું? મારા દાદા શ્રી ઋષભદેવ તીર્થકરોમાં સર્વ પ્રથમ તીર્થકર છે. Ifપરા
કોણ પિતા મુજ આ ભવે? ચક્રી મોક્ષ જનાર,
અધિરાજા છ ખંડના; ઇક્વાકુ કુળ સાર.” ૫૩ અર્થ :- વળી આ ભવમાં મારા પિતા કોણ છે? મોક્ષે જનાર છ ખંડના અઘિરાજા ચક્રવર્તી ભરતેશ્વર. મારુ કુળ કયું? ઈક્વાકુ. ત્યારે હું તીર્થકર થાઉં એમાં શું નવાઈ? //૫૩મા.
આમ અભિમાને ફેંદી, હસે, રમે તે વાર
કર્મો બાંધે આકરાં, બહુ ભવ કરાવનાર.” ૫૪ અર્થ – આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા. તેથી બહુ ભવ કરાવનાર એવા આકરા કર્મો બાંધ્યાં. ૫૪મા
વર્ધમાન નામે થયા મહાવીર ભગવાન
સ્વમુખથી ઉપદેશમાં કહી કથા મેંકી માન. ૫૫ અર્થ - એ ક ભોગવ્યા પછી વર્ધમાન નામે છેલ્લા મહાવીર ભગવાન થયા. માન મુકીને ઉપદેશમાં સ્વમુખથી જ પોતાની વિતક વાત કહી સંભળાવી. પપા
જો કીર્તિ કે સ્વાર્થનો લક્ષ ઘર્મમાં હોત,
તો નિજ પૂર્વ-ગર્વનું વર્ણન તે ન કહોત. ૫૬ અર્થ :- જો એમણે કીર્તિ કે સ્વાર્થ ખાતર ઘર્મ પ્રવર્તાવ્યો હોત તો તે પોતાના પૂર્વભવમાં કરેલ ગર્વનું વર્ણન કરતા નહીં. પા.
ખરી વાત શાને ખળે? સ્વાર્થ વિનાનો ઘર્મ :
કેમ તને તે મૂકશે? મને ન મૂકતાં કર્મ.” પ૭. અર્થ :- પણ એનો સ્વાર્થ વગરનો ઘર્મ હોવાથી ખરું કહેતા શા માટે અટકે? તે કહે છે કે ભાઈ! મને પણ કર્મ મૂકતા નથી તો તને કેમ મૂકશે? પાપણા
કીર્તિ-ઇચ્છક માનથી સંતાડે નિજ દોષ, કહે: “મને તો ના નડે કર્મ, ગર્વ કે રોષ; ૫૮