SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ ૩૫૮ સાથે દીક્ષા ગ્રહણ કરી. સૌ પ્રેમપૂર્વક મુનિના આચાર પાળવા લાગ્યા. ||૧|| અમિતતેજ આદિ ગયા સર્વે નિજ નિજ સ્થાને રે, પૂર્વ ઉપવાસો કરે, ઠંતા પાત્રે દાને રે, ૨ અર્થ :— અમિતતેજ આદિ સર્વે પોત પોતાના સ્થાને ગયા. તેઓ પણ આઠમ ચૌદસ આદિ પર્વ દિવસોમાં ઉપવાસ કરવા લાગ્યા અને સુપાત્રે દાન આપી શ્રાવક ધર્મનો ઉદ્યોત કરવા લાગ્યા. III જિન-પૂજા નિત્યે કરે, ધર્મકથા પણ સુંશે રે, ભવ્ય જૈવોને બોધ દે, રાયે પરના ગુજ઼ ૨. ૩ અર્થ :— હવે અમિતતેજ હમેશાં જિનપૂજા કરે છે, ધર્મ કથા પણ સાંભળે છે તથા અનેક ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપે છે તથા પરના અલ્પ ગુણમાં પક્ષ પ્રીતિ ધરાવી પ્રમોદ પામે છે. “ગુણી જનોકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે; બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે.’’ -મેરી ભાવના ||૩|| વિદ્યાધર-ચક્રી સમો અમિતતેજ વિરાજે રે, અનેક વિદ્યા સાધો, શ્રીવિજય-મૈત્રી છાજે ૨. ૪ અર્થ :– વિદ્યાધરોનો રાજા અમિતતેજ ચક્રવર્તી સમાન રાજ્યાસન પર વિરાજમાન છે. જે અનેક વિદ્યા સાધતો કાળ નિર્ગમન કરે છે. તેને ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય સાથે ગાઢ મિત્રતા છે. ।।૪।। અમરગુરુ મુનિને નમી બન્ને બેસી પૂછે રે : “ત્રિપુષ્ટના ભવ આગલા, વાસુદેવસુખ શું છે રે?'' પ અર્થ :– અમરગુરુ મુનિનો સમાગમ થતાં બન્ને તેમને નમીને તેમની સમક્ષ બેસી, વિજયના પિતા ત્રિપુષ્ટ વાસુદેવના આગલા ભવો પૂછવા લાગ્યા તથા વાસુદેવ પદવીનું સુખ શું છે? તે જણાવવા કહ્યું. ।।૫।। ધર્મ-ળો મુનિ વર્ણવે શ્રીવિજય તે યોગે રે, ભોગ-નિદાન કરે અરે! ચિત્ત ઘરી સુખ-ભોગે રે. ૬ અર્થ :– ત્યારે મુનિ ભગવંતે ઘર્મ આરાધનાનું આ ફળ છે એમ વર્ણન કર્યું. તે સાંભળીને શ્રી વિજયે વાસુદેવના સુખ ભોગ ભોગવવાની ઇચ્છાએ કરી મનમાં એવા ભોગનું અરે! નિદાન એટલે નિયાણું કરી લીધું. ॥૬॥ એક દિવસ બન્ને સુણે વિમલમતિ મુનિ પાસે રે, ‘એક માસ આયુષ્ય છે' મુનિ બી જે સંન્યાસે રૃ. ૭ અર્થ :— એક દિવસ વિમલમંતિ નામના મુનિ પાસે પોતાનું માત્ર એક માસનું આયુષ્ય સાંભળીને બન્ને મુનિ બની, સંન્યાસ મરણ સ્વીકા૨ી પાોપગમન અનશન ગ્રહણ કર્યું. IIના (આનત સ્વર્ગ ઊપજી, સુર-સુખ બન્ને માણે રે, પૂર્વ પુણ્ય ફળ બાકી તે, વિદેહ ક્ષેત્રે આણે રે. ૮ અર્થ :– હવે બન્ને આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવતાઈ સુખને માણવા લાગ્યા. પૂર્વે કરેલા પુણ્યના ફળો ભોગવવા બાકી હોવાથી ત્યાંથી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં કર્મે આણ્યા. ।।૮।।
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy