________________
૩૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ તો અમારા સ્વામી અમિતતેજની જ બહેન છે એમ ઓળખીને મેં પૂછ્યું : તમને અહીં કોણ હરી લાવ્યું? ત્યારે અશનિઘોષ બોલ્યો કે શું મારી સાથે લડવાની હામ એટલે હિંમત ઘરાવે છે? I૪૪
ચમરચંચા-પુરી-પતિ, શ્રીવિજયની કાંતા રે,
હરી લાવ્યો છોડાવ તું, જો નહિ જીવન-ચિંતા રે.” ૪૫ અર્થ :- હું ચમર ચંચાપુરીનો રાજા છું. આ વિજયકુંવરની સ્ત્રી છે. હું એને હરી લાવ્યો છું. તને તારા જીવનની ચિંતા ન હોય તો મારી પાસેથી એને છોડાવ. I૪પા.
કહે સુતારા : “મા લડો, મુજ પતિ પાસે જાઓ રે,
વિદ્યા મુજ વેષે છળે તેનો જીવ બચાવો રે.’૪૬ અર્થ - એ સાંભળી સુતારા કહેવા લાગી : તમે લડો મા. પહેલા મારા પતિ પાસે જાઓ. તેને વૈતાલિની વિદ્યા મારો વેષ ઘરીને છળે છે માટે પ્રથમ તેનો જીવ બચાવો. ૪૬ના
તે સુણી આ આપની પાસે આવ્યો દોડી રે,
આજ્ઞા આપો તેમ સૌ કાર્ય કરું તન તોડી રે.”૪૭ અર્થ :- સાંભળીને હું આપની પાસે શીધ્ર આવ્યો છું. જેમ આપ આજ્ઞા આપો તેમ હું તનતોડ મહેનત કરવા તૈયાર છું. ૪ળા
શ્રીવિજય કહે: “આપ તો મારા જીવન-દાતા રે,
અમિતતેજ સહ આવજો, બોલાવી મુજ માતા રે.”૪૮ અર્થ - શ્રી વિજયકુંવર કહે : આપ તો મારા જીવનદાતા છો. મારી માતાને બોલાવી શ્રી અમિતતેજ સાથે અહી આવજો. ||૪૮
અમિતતેજ-પ્રતાપથી અશનિઘોષ જિતાયો રે,
ઑવ લઈ નાસી તે ગયો, શ્રીવિજય પૂઠે ઘાયો રે. ૪૯ અર્થ - અમિતતેજના પ્રતાપથી યુદ્ધમાં અશનિઘોષ જિતાઈ ગયો. તે જીવ લઈને નાઠો અને તીર્થકરની સભામાં પેઠો ત્યારે શ્રી વિજયકુંવર તેની પાછળ દોડ્યો. ૪૯ો.
શ્રવિજય તીર્થંકર-સભા દેખી તેમાં પેઠો રે,
અમિતતેજ પણ આવીને શ્રીવિજય સહ બેઠો રે. ૫૦ અર્થ :- શ્રી વિજયકુંવર પણ તીર્થંકરની સભા જોઈ તેમાં પેઠો. પછી અમિતતેજ પણ ત્યાં આવીને શ્રી વિજયકુંવર સાથે બેઠો. ૫૦ના
સભા વિષે તાઁ વૈર સૌ સુણે પ્રભુની વાણી રે,
અશનિઘોષની માર્જીએ સુતારા ત્યાં આણી રે. ૫૧ અર્થ :- સભા મધ્યે બઘાએ પ્રભુની વાણી સાંભળીને વૈરભાવનો ત્યાગ કર્યો. અશનિઘોષની માતાએ સુતારાને પણ ત્યાં આણી. પ૧ાા
પુત્ર-દોષને ખમાવતી, સતી પતિને આપે રે, જાતિ-વેર પશુ પણ તજે, ક્ષમા સહજ ત્યાં વ્યાપે રે. પર