________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૪૯
અર્થ - પોતાના પુત્ર અશનિઘોષના દોષને ખમાવતી એવી માતા, સતી સુતારાને પોતાના પતિને આપે છે. ભગવાન આગળ જાતિવેર પશુઓ પણ તજે છે. ત્યાં ભગવાનના પ્રતાપે બધામાં સહજ ક્ષમાભાવ વ્યાપે છે. પરા
અશનિઘોષ ખમાવતો કહે : “પૂર્વના દોષે રે,
હરી લાવ્યો આ બાઈને, પ્રભુ મુજ દોષો ખોશે રે. પ૩ અર્થ - અશનિઘોષ પણ પોતાના દોષો ખમાવતો કહે છે કે પૂર્વકર્મના દોષે હું બાઈ સુતારાને હરી લાવ્યો. પણ પ્રભુ મારા આ દોષોને માફ કરશે. પલા
અખંડિત-શીલવંતી એ, ઘર્મ-માત મુજ સાચી રે;
ભૂતકાળ ભૂલી જવા, ખરી ક્ષમા આ યાચી રે.” ૫૪ અર્થ - આ અખંડિત શીલવંતી સુતારા એ મારી ઘર્મમાતા છે. મને મારું કર્તવ્ય શું હોવું જોઈએ તે દર્શાવનાર હોવાથી તેમજ સાચા આત્મઘર્મને બતાવનારી હોવાથી મારી ખરી ઘર્મમાતા છે. ભૂતકાળને ભૂલી જવા માટે હું સર્વની સમક્ષ ખરી ક્ષમા યાચના કરું છું. [૫૪માં
અમિતતેજ વનવે “પ્રભુ, ભગિનેં હરી મુજ શાથી રે?”
કહે કેવળી : “સૌ સુણો, કહું વાત એ આખી રે. પપ અર્થ - હવે અમિતતેજ વિનયપૂર્વક કહેવા લાગ્યો કે પ્રભુ! આ મારી બહેનનું એણે શા માટે હરણ કર્યું? ત્યારે કેવળી ભગવાન કહેવા લાગ્યા હું તે સર્વ વૃત્તાંત જણાવું છું; તે તમે બઘા સાંભળો. પપા
અચળ ગામના વિપ્રનો કપિલ પુત્ર દાસીનો રે,
બીજા બે પુત્રો ભણે, કપિલ ન ઉદાસી, જો રે. ૧૬ અર્થ - અચળ ગામના બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો કપિલ, તે દાસીપુત્ર હતો. તે બ્રાહ્મણના બીજા બે પુત્રો હતા. તે પિતા બ્રાહ્મણ પાસે ભણવા લાગ્યા. કપિલ પણ ભણવામાં ઉદાસીન નહી પણ ઉત્સાહી હતો. //પકા
કપિલ અધિકારી નહીં, પણ સુણી કંઠે ઘારે રે;
બુદ્ધિબળથી તે બન્યો પંડિત શાસ્ત્ર-વિચારે રે. ૫૭ અર્થ - કપિલ દાસીપુત્ર હોવાથી તેને ભણવાનો અધિકાર આપ્યો નહીં. છતાં તેણે વિદ્યા સાંભળીને કિંઠે ઘારણ કરી લીધી. પછી બુદ્ધિના બળે શાસ્ત્રો વિચારવાથી તે પંડિત બની ગયો. //પલા
વેદ ન શોભે તુજને,” કહીને કાઢી મૂક્યો રે,
રત્નપુરમાં તે ગયો, પણ વિદ્યા ના ચૂક્યો રે. ૧૮ અર્થ - તું દાસીપુત્ર હોવાથી તારા કંઠે વેદ શોભે નહીં. એમ કહી કપિલને કાઢી મૂક્યો. પણ વિદ્યાને ભુલ્યા વિના તે રત્નપુર નગરમાં ગયો. પ૮ાા.
અખંડિત બુદ્ધિબળે પંડિત મુખ્ય મનાયો રે,
રાજ-પુરોહિતે દથી કન્યા, અતિ પુજાયો રે. ૫૯ અર્થ – અખંડિત બુદ્ધિના બળે રત્નપુરમાં તે પંડિતોમાં મુખ્ય ગણાયો. ત્યાંના રાજ પુરોહિતે તેને