________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૪૭
સાંજ પડી ચાલો હવે ઝટ બેસો વિમાને રે,”
એમ કહી તે હરી ગયો શ્રીવિજય-પ્રિયાને રે. ૩૭ અર્થ - હવે સાંજ પડી ગઈ માટે ચાલો ઝટ વિમાનમાં બેસો એમ કહી તે વિદ્યાઘર શ્રી વિજયકુંવરની પ્રિયા સુતારાને હરી ગયો. If૩ળા
સુતારા સ્થાને ફેંકી વિદ્યા તેવાં રૂપે રે,
શ્રીવિજય આવ્યો દેખી તે સાપ ડસ્યો કહી રૂએ રે. ૩૮ અર્થ - સુતારાના ઠેકાણે વૈતાલિની વિદ્યાના બળે સુતારા જેવી રૂપવાળી બીજી સ્ત્રીને મૂકી દીધી. ત્યાં શ્રી વિજયકુંવર આવ્યો જાણી મને સાપ ડસ્યો છે એમ કહી તે માયાથી બનાવેલી સુતારા રોવા લાગી. ૩૮ાા.
શ્રીવિજય ઘાયો છતાં મરી ગયેલી ભાળે રે,
મણિમંત્રાદિ ઔષથી યોજે તે તત્કાળ રે. ૩૯ અર્થ :- શ્રી વિજયે તેના ઉપાય કર્યા છતાં તેની સામે જ મરી ગયેલી હોય તેમ આંખો મીંચી દીધી. શ્રી વિજયકુંવરે તત્કાળ તેને ઠીક કરવા માટે અનેક મણિ મંત્ર તંત્રાદિકની ઔષઘીરૂપે યોજના કરી. ૩૯ાાં
નિષ્ફળ સર્વે લાગતાં, જીવન તજવા ઘારે રે,
ખડકી ચિતા, સ્ત્રીને મેંકી લગાડી જ્યાં પગ ઘારે રે-૪૦ અર્થ - તેને જીવાડવાના બધા ઉપાયો નિષ્ફળ લાગતાં શ્રીવિજયકુંવર પોતે પોતાના પણ પ્રાણ તજવા તૈયાર થયો. તેના માટે ચિતા ખડકી, તેમાં સ્ત્રીને મુકી, આગ લગાડી, તેમાં પોતે દેહ છોડવા માટે પગ મૂકવા ઘારે છે. ૪૦
વિદ્યાઘર આવી ચઢે, મંત્રિત જળ ત્યાં છાંટે રે,
લાત લગાવી તે સ્ત્રીને, વિદ્યા પડી ગઈ વાટે રે. ૪૧ અર્થ :- તેટલામાં ત્યાં એક વિદ્યાધર આવી ચઢ્યો. તેણે મંત્રિત જળ છાંટી બનાવટી સુતારાને લાત મારી કે તે વૈતાલિની વિદ્યા ત્યાંથી ભાગી ગઈ. ૪૧ાા.
શ્રીવિજય પૂછે, “અહો! કોણ તમે ઉપકારી રે?
શું દેખું સ્વપ્રા સમું? કોણ હતી એ નારી રે?” ૪૨ અર્થ - શ્રી વિજયકુંવર વિદ્યાધરને પૂછવા લાગ્યો કે અહો! મારા ઉપર આવો ઉપકાર કરનાર તમે કોણ છો? આ હું સ્વપ્રા જેવું શું જોઈ રહ્યો છું? તે બનાવટી સુતારા કોણ હતી? I૪રા
વિદ્યાઘર બોલે હવે : “અમિતતેજ અમ સ્વામી રે,
તેને પોકારી રડે, સુતારા શુભનામી રે. ૪૩ અર્થ - વિદ્યાઘરે જવાબમાં કહ્યું : અમિતતેજ અમારા સ્વામી છે. તેને પોકારીને રડતી શુભનામવાળી સુતારાને અમે જોઈ છે. ૪૩ા.
સ્વામી-ભગિની ઓળખી, પૂછ્યું “કોણ હરે છે રે?” બોલે અશનિઘોષ ત્યાં : “લડવા હામ ઘરે છે રે? ૪૪