SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૪૩ “આઠ દિવસ ઉપર અહીં આવ્યો નિમિત્તવાદી રે, સ્વસ્તિ” કહી બોલ્યો : “પ્રભુ, પોતનપુર-નૃપ-ગાદી ૨-૭ અર્થ :- આઠ દિવસ ઉપર અહીં એક નિમિત્તવાદી આવ્યો હતો. તે સ્વસ્તિ એટલે તમારું કલ્યાણ થાઓ એમ બોલીને કહેવા લાગ્યો કે પ્રભુ! પોતનપુર રાજાની ગાદી વિષે મારે કંઈ કહેવું છે. શા ભોક્તાના શિર પર પડે વીજળી; જાણ્યું જોષે રે; સાત દિવસ બાકી હજી, ર્જીવશે તે સૌ જોશે રે. ૮ અર્થ - પોતનપુર રાજાની ગાદીના જે ભોક્તા હશે તેના શિર ઉપર વીજળી પડશે; એમ મેં જ્યોતિષ વિદ્યાવડે જાણ્યું છે. તેને હજુ સાત દિવસ બાકી છે. જીવશે તે સૌ આ જોશે. IIટા ઉપાય શોથી આદરો, જો ઑવવાને ચાહો રે.” યુવરાજા કોપે કહેઃ “શા તુજ શિર પ્રવાહો રે?” ૯ અર્થ - જો જીવવાને ઇચ્છતા હો તો તેનો ઉપાય શોથી અમલ કરો. ત્યારે યુવરાજે કોપભર્યા અવાજે કહ્યું: તારા શિર ઉપર શાનો પ્રવાહ ચાલશે? અર્થાત્ તારા માથા ઉપર શું પડશે? સાલા પ્રહાર-યોગ્ય ગણી પૂંછે; કહેઃ “મુજ શિર સુવર્ણો રે, રત્ન-વૃષ્ટિથી શોભશે, વળી પુષ્ય ને પણે રે.' ૧૦ અર્થ - પ્રહારયોગ્ય એટલે પ્રત્યાઘાતરૂપે આ વચનો મને પૂછે છે એમ જાણી તે નિમિત્તવાદી બોલ્યો કે મારું શિર તો સુવર્ણ અને રત્નોની વૃષ્ટિથી શોભશે તથા પુષ્પ અને પર્ણ એટલે પાંદડાઓથી પૂજિત થશે. ૧૦ગા. આશ્ચર્યચકિત થઈ પછી, પૂછ્યું મેં: “શું શીખ્યા રે? કોની પાસે? નામ શું? લીથી ક્યારે દીક્ષા રે?” ૧૧ અર્થ - ત્યારે વિજયકુંવર કહે : મેં આશ્ચર્યચકિત થઈ તે નિમિત્તવાદીને પૂછ્યું કે તમે જ્યોતિષ સંબંથી શું શીખ્યા? કોની પાસે શીખ્યા? તેનું નામ શું? તથા દીક્ષા ક્યારે લીધી? ૧૧ાા નિમિત્તવાદી કહે હવેઃ “બળભદ્ર સાથે દીક્ષા રે લીથી, સન્શાસ્ત્રો ભણ્યો, ચમત્કાર પણ શિક્ષા રે. ૧૨ અર્થ :- હવે નિમિત્તવાદી કહેવા લાગ્યો : મેં ત્રિપુષ્ટ નારાયણના ભાઈ બળભદ્ર સાથે દીક્ષા લીધી. સન્શાસ્ત્રો ભણ્યો તથા ચમત્કારી શિક્ષા પણ લીધી હતી. ૧૨ાા સુગુરુ-શિષ્ય વિશારદે દીથી નિમિત્ત-વિદ્યા રે, આઠ પ્રકારે મુખ્ય છે - અંતરિક્ષ-ગ્રહ-લક્ષ્યા રે. ૧૩ અર્થ :- સુગુરુના વિશારદ એટલે વિદ્વાન શિષ્ય મને આ નિમિત્ત વિદ્યા આપી છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. પહેલી અંતરીક્ષ એટલે આકાશમાં ગ્રહ વગેરે જોઈને શું થશે તે લક્ષમાં આવી શકે તેવી વિદ્યા છે. I૧૩ાા બૅમિમાં દાટેલું દીસે, ભૌમ નિમિત્ત ગણાતું રે; અંગોપાંગો પારખી, ભૂંડું ભલું જણાતું રે. ૧૪
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy