________________
(૮૪) મુનિ-થર્મ-યોગ્યતા
૩૨૯
અર્થ - હવે શ્રી ગુરુના બોથથી આત્મકલ્યાણ માટેની પ્રથમ સાચી સમજ મેળવીને પછી સૌ આરંભ પરિગ્રહને ટાળવા જોઈએ. ના ટળે ત્યાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રાખી તેને ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પણ પરિગ્રહ ત્યાગવાનો દંભ એટલે ઢોંગ ઉપરથી કરવો નહીં. ||૩૦ના
સંસાર અસાર વિચારજો, કર્મ-કાષ્ઠ દુઃખ-લાય રે,
ગૃહસ્થપણું જ પગ-શૃંખલા સુવ્રત-કુપાણે કપાય રે. શ્રી રાજ અર્થ - આ સંસારને હમેશાં અસારરૂપ વિચારજો. કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડા તે દુઃખરૂપી બળતરાને વઘારનાર છે. આ ગૃહસ્થપણું તે પગમાં પડેલ શૃંખલા એટલે સાંકળ સમાન છે. પણ તે સાંકળને સુવ્રતરૂપી કપાણ એટલે તલવારથી કાપી શકાય છે. [૩૧]
વીતરાગ પ્રરૂપિત ઘર્મ તે અનન્ય મુક્તિ-ઉપાય રે,
તે ઘર્મ ચિંતામણિથી ચઢે, અચિંતિત નિજ સુખદાય રે. શ્રી રાજ અર્થ :- વીતરાગ ભગવંતો દ્વારા પ્રરૂપિત જૈનધર્મ તે મુક્તિ મેળવવાનો અનન્ય ઉપાય છે, તે ઘર્મ ચિંતામણિ રત્નથી ચઢીયાતો છે. ચિંતામણિ રત્ન ચિંતવે ત્યારે ફળ આપે જ્યારે ઘર્મ તો અચિંતિત છે. તે ચિંતવ્યા વગર જ પોતાના આત્મસુખને આપનાર છે. ૩૨ાા
“શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ઘર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો.” (વ.પૃ.૬૨૬)
સાંસારિક સુખની રુચિથી વિષ-ભક્ષણ હિતકાર રે,
પ્રજ્વલતી ચિતાથી પણ વધુ ગૃહ-ચિંતા દુઃખકાર રે. શ્રી રાજ, અર્થ - સંસાર સુખની રુચિ રાખવા કરતાં વિષ ભક્ષણ કરવું હિતાવહ છે. કારણ વિષ એક જ ભવ મારે જ્યારે સંસારસુખનો મોહ જીવને અનંત જન્મમરણ કરાવે છે. જ્વાજલ્યમાન બળતી ચિતાથી પણ અધિક ઘરની ચિંતા ગૃહસ્થને દુ:ખ આપનાર છે. ૩૩
અગ્નિ કે વિષ નડે આ ભવે, મોહ ભવે ભવે ઘાર રે;
વૈરાગ્ય-વૃદ્ધિથી જીવને થાય ન મોહ-વિકાર રે. શ્રી રાજ અર્થ - અગ્નિ કે વિષ એક ભવ નડે પણ આ મોહ ભવોભવ જીવને મારનાર છે. જીવ જો સપુરુષના બોઘવડે વૈરાગ્યભાવ વર્ધમાન રાખે તો તેને મોહના વિકાર સતાવે નહીં. ૩૪
જે સદ્ગુરુ-બોઘ-સમાગમે પ્રગટે પંડિત-વીર્ય રે,
દે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતા સહિત શૈર્ય રે. શ્રી રાજ, અર્થ - જો સદ્ગુરુના બોઘથી કે સમાગમથી જીવને પંડિત-વીર્ય એટલે સમ્યકજ્ઞાન સહિત બળ પ્રગટે તો તે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતાને આપે છે. સાથે એ ભાવો ટકી રહે એવા પૈયને પણ આપે છે. ૩પાા
દશ લક્ષણ યતિ-ઘર્મ આદરી, શોભાવે જે સુઘર્મ રે, સ્વ-પર-હિતનાં કરી કાર્ય તે જ્ઞાનથી બાળે કર્મ રે. શ્રી રાજ,