________________
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
“જે જીવો મોનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.’” (વ.પૃ.૪૫૧) ||૨૪|| જૅવ બારે કષાય ગયા વિના, લે મુનિ-વેષ જે અજ્ઞ રે,
તે તરી શકે ના નિજ બળે, જ્ઞાની મળ્યે બને સુજ્ઞ રે. શ્રી રાજ
૩૨૮
=
અર્થ :– અનંતાનુબંધી કષાયની ચોકડી તથા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયની ચોકડી, એમ સર્વ મળી બા૨ે કષાય ગયા વિના જે અજ્ઞાની જીવ મુનિવેષને ઘારણ કરે છે તે પોતાના આત્મબળે તરી શકે નહીં. પણ જ્ઞાની મળવાથી તે સુજ્ઞ એટલે સમ્યજ્ઞાનવાળો બની શકે છે. ।।૨૫।। ઘરે અભિનિવેશ વેશનો, તો ના લહે કલ્યાણ રે,
છે મોહને હણવા વેશ ત્યાં આગ્રહ મોહ-મોકાણ રે. શ્રી રાજ
=
અર્થ :— જે માત્ર સાધુવેષનો અભિનિવેશ એટલે આગ્રહ પકડી રાખે કે સાધુવેષ ઘારણ કરવાથી જીવનો મોક્ષ થાય; તે આત્મકલ્યાણને પામી શકે નહીં. સાધુનો વેષ તે મોહને હણવા માટે સહાયકારી છે. તે તેથી ચેપનો માત્ર આગ્રહ ન રાખતા આ મોહની મોકાણ કરવાનો પ્રધમ આગ્રહ રાખવો કલ્યાણકારી છે; અર્થાત્ મોહ મરી ગયા પછી તેના પાછળની ક્રિયા કરી તે મોહને સાવ ભૂલવા યોગ્ય છે. ।।૨૬।। દીક્ષા લીઘાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે,
શું દુઃખ ને દુઃખ-કારણો? કેમ ટળે? નથી ભાન રે. શ્રી રાજ
અર્થ :– દીક્ષા લીધાથી જ દુઃખ ટળે એ પણ જીવની મહાન ભ્રાંતિ છે. પ્રથમ તો દુઃખ શું? અને દુઃખના કારણો મિથ્યાત્વ વગેરે છે તે કેમ ટળે? તેનું જ જીવને ભાન નથી. તો દીક્ષા કેવી રીતે ફળીભૂત થાય? રા
ક્લ્યાણ શું? શાથી પાર્મીએ? તેના જ કરો વિચાર રે,
રે! અનંત કાળથી ભૂલ તે, થતી આવી નિર્ધાર રે. શ્રી રાજ
અર્થ :– કલ્યાણ એટલે શું? અને તે કેવી રીતે પામીએ. તેનો જ વારંવાર વિચાર કરવો જોઈએ. અરે આશ્ચર્ય છે કે અનંતકાળથી આવી ભૂલ ધતી આવી છે. માટે હવે તે વાતને ખૂબ વિચારી પગલું ભરવું જોઈએ. ‘‘દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.’” (પૃ.૩૫) રિદ્વા
તે આ ભવે ટળે પ્રથમ તો જન્મ-પરંપરા જાય રે,
ભ્રાંતિ સહિત પુરુષાર્થથી મોક્ષ કહો, કેમ થાય રે?શ્રી રાજ
અર્થ – તે અનાદિની ભૂલ પ્રથમ આ ભવમાં ટળે તો જન્મમરણની પરંપરાનો અંત આવે. પણ હજુ સુધી જીવને પોતાના આત્માનું ભાન થયું નથી, આત્મસ્રાંતિ ટળી નથી. તો ભ્રાંતિસતિ પુરુષાર્થ કરવાથી જીવનો મોક્ષ કહો કેવી રીતે થાય? ।।૨૯।।
સાચી સમજ ધારી, ટાળવા સૌ પરિગ્રહ-આરંભ રે,
ના ટળે ત્યાં ઉદાસીનતા, પુરુષાર્થ કરો, ન દંભ રે. શ્રી રાજ